September 29, 2024

24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં સૌથી વધુ 6 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ભાવનગરના ઉમરાળામાં 4 ઈંચ વરસાદ, ભાવનગરના વલભીપુર અને જેસરમાં 3.5 ઈંચ વરસાદ, ભાવનગરના પાલીતાણાામાં 3 ઈંચ વરસાદ અને બોટાદના ગઢડામાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં ફરીવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 17 ફૂટ પર છે. ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. 2-5 ઇંચ વરસાદ પડે તો વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. હાલ શહેરમાં કોઇએ ગભરાવવાની જરૂર નથી.