આંતકી હુમલામાં પિતા-પુત્રનું મોત, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

Bhavnagar: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નીપજ્યું છે. જેમના મૃતદેહ મોડી રાતે ભાગવનગર લવાયા છે. સીએમ ભૂપેનદ્ર પટેલ પણ ભાવનગર પહોંચ્યા છે અને પરિવારજનોને સાંત્વના આપી છે. સાથે જ બન્ને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.
મળતી માહિતી અનુસાર પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મોડી રાતે બન્નેના મૃતદેહ ભાવનગર સિવિલ હોસ્પિટલ લવાયા છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, MLA જીતુ વાઘાણી, મેયર ભરત બારડ, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર હાજર રહ્યા છે. તેમજ રાજકીય નેતાઓએ પરિવારને આશ્વાસન આપી હિંમત આપી હતી.
આ પણ વાંચો: સુરતના શૈલેષ કળથિયાના પરિવારનું હૈયાફાટ રૂદન, સી.આર પાટીલ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ