પહલગામમાં થયેલ આતંકી હુમલાના પગલે દ્વારકા ખાતે સિક્યુરિટીમાં વધારો

દેવભૂમી દ્વારકા: દ્વારકા ખાતે આવેલ ભગવાન શ્રી દ્વારકાધીશનું જગત મંદિર સિક્યુરિટી ધરાવતું મંદિર છે પણ ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા ખાતે આજે હાઈ સિક્યુરિટી કરી દેવામાં આવી છે.

બોમ્સ સ્કોવડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓને સખત ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.