સુરતના શૈલેષ કળથિયાના પરિવારનું હૈયાફાટ રૂદન, સી.આર પાટીલ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Surat: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ફસાયા મહારાષ્ટ્રના 500 પ્રવાસીઓ, આજે 182 પરત ફરશે

નોંધનીય છે કે, શૈલેષ કળથિયાના પરિવારમાં શોકનો માહોલ છે. હુમલા અંગે પરિવારે આપવીતી જણાવતા કહ્યું કે, ત્યાં કોઈ સુરક્ષાદળો નહોતા. એકપણ પોલીસ હાજર નહોતી. તેમજ કોઈ મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. અમે સરકાર અને સેના પર ભરોસો રાખીને ત્યાં ફરવા ગયા હતા.