UAEના રાષ્ટ્રપતિએ ઈદની ભેટ આપી, 500 ભારતીયો સહિત 1500થી વધુ કેદીઓને મુક્ત કર્યા

UAE: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને માફ કરવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં 1295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1518 કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
500થી વધુ ભારતીયોનો સમાવેશ
કેદીઓ માટે માફીની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે કુલ 1518 કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. જેલમાંથી મુક્ત થવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. યુએઈના રાષ્ટ્રપતિ તરફથી માફી મળ્યા પછી મુક્ત થયેલા કેદીઓ તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે.
UAE President Sheikh Mohamed bin Zayed Al Nahyan announced large-scale prisoner pardons ahead of Ramzan, in late Feburary, by ordering the release of 1,295 inmates and Prime Minister Sheikh Mohammed bin Rashid Al Maktoum granting clemency to 1,518 prisoners.
Over 500 Indian…— ANI (@ANI) March 28, 2025
UAEમાં ભારતીયોની સંખ્યા કેટલી છે?
સંયુક્ત આરબ અમીરાતની કુલ વસ્તીમાં ભારતીયો 37.96 ટકા છે. ડિસેમ્બર 2024માં, સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતીયોની વસ્તી 35,68,848 (3.6 મિલિયન) હતી. તે વિશ્વમાં ભારતીયોની બીજા ક્રમની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. યુએઈમાં રહેતા ભારતીયોએ દેશના દરેક ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.