વડાલીના નાદરી ખાતે ગાયની હત્યા બાદ મસ્તકની ચોરીને લઈ લોકોમાં ભારે આક્રોશ

સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાંથી ગાયની હત્યા કરી મસ્તક લઈ જનારાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ 24 કલાકનો સમય વીતવા છતાં કોઈપણ પ્રકારના આરોપીની અટકાયત થઈ ન હોવાના પગલે આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વડાલી પોલીસ મથકે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ન્યાયિક તપાસ સહિત તાત્કાલિક આરોપીઓની અટકાયત કરવાની માગ સાથે પોલિસ મથકે રામધૂન સહિત હનુમાન ચાલીસા પાઠ કરી વિરોધ દર્શાવ્યો હતો.
સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલા માંથી ગાયની હત્યા કરી તેનું મસ્તક લઈ જવાના પગલે ભારે ધેરા પ્રત્યાઘાત સર્જાયા છે. ગાયની હત્યા મામલે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદ નોંધાયાના 24 કલાકથી વધુનો સમય થવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી ન થઈ હોવાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. તેમજ તેમણે તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી લેવાની માગ કરી છે. સાથોસાથ આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ થઈ રહેલા ગૌમાસની ચોરી તેમજ હત્યા મામલે પણ તમામ આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે હવે આગામી 48 કલાકમાં પોલીસ તંત્ર દ્વારા ફાયર કામગીરી ન થાય તો ગાંધીનગર કક્ષાએ આંદોલનની ચીમકી ઉરચારી છે. સાથોસાથ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિંદુ સંગઠનો દ્વારા વડાલી પોલીસ મથકે રામધુન સહિત હનુમાન ચાલીસાનો પાઠ કરી પોલિસને સદબુદ્ધિ આવે તે દિશામાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડાલી ગાયની હત્યા સહિત તેના મસ્તકની ચોરીના મામલે સમગ્ર ગુજરાત ભરમાં વ્યાપક પડદા પડે તો નવાઈ નહીં.
જોકે વડાલી ખાતે થયેલા ગૌવંશની હત્યા સહિત તેના મસ્તકની ચોરી થયાના પગલે સ્થાનિક કક્ષાએ વ્યાપક પ્રત્યાઘાત સર્જાયા છે. જોકે ઘટના બન્યાના 24 કલાક બાદ પણ પોલીસ જાણે કે હવામાં તીર મારતી હોય તેમ હજુ સુધી કોઈ ચોક્કસ કામ થઈ શક્યું નથી. ત્યારે આગામી 48 કલાકમાં જો કોઈ આરોપીની અટકાયત ન થાય તો ગાંધીનગર કક્ષાએ આંદોલન લંબાશે છે તે નક્કી છે.