July 8, 2024

ઉનાળુ વેકેશનમાં રાજ્યના 12 પ્રવાસન સ્થળોની 1.35 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉનાળા વેકેશનના સમયગાળાનાં છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં હવે દિન પ્રતિદિન ટુરિઝમની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીના સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

ગુજરાતમાં વર્ષ 2023-24ના ટોપ 10 પ્રવાસન સ્થળોની વિગતાવર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 225.8 લાખ પર્યટકોએ, અંબાજી મંદિરની 164.6 લાખ પર્યટકોએ, સોમનાથ મંદિરની 97.93 લાખ પર્યટકોએ, દ્વારકા મંદિરની 83.54 લાખ પર્યટકોએ, પાવાગઢ મંદિરની 76.66 લાખ પર્યટકોએ, SoU એકતાનગરની 43.53 લાખ પર્યટકોએ મુલાકત લીધી છે.

આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીની સફળતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડતાં ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત

ગુજરાત બન્યું દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

– ઉનાળુ વેકેશનમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
– ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17 ટકા વધારો
– 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની લીધી મુલાકાત
– સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક સહિતના સ્થળો આકર્ષણના કેન્દ્ર
– સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિરમાં ઉમટ્યા મુલાકાતીઓ
– વર્ષ 2023-24ના ટોપ 10 પ્રવાસન સ્થળો કરોડોની સંખ્યામાં આવ્યા મુલાકાતીઓ
– અમદાવાદ શહેરમાં 225.8 લાખ પર્યટકોએ, અંબાજી મંદિરની 164.6 લાખ પર્યટકોએ લીધી મુલાકાત
– સોમનાથ મંદિરની 97.93 લાખ પર્યટકોએ, દ્વારકા મંદિરની 83.54 લાખ પર્યટકોએ લીધી મુલાકાત
– SoU એકતાનગરની 43.53 લાખ પર્યટકો, સુરત શહેરની 62.31 લાખ પર્યટકોએ લીધી મુલાકાત

ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં રૂપિયા 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં હજુ પણ પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થશે.