October 22, 2024

ભાવનગરમાં ક્ષત્રિય યુવાનનો આપઘાતનો પ્રયાસ, પદ્મિનીબા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

ભાવનગરઃ બીજેપીમાંથી રાજીનામું આપનારા ક્ષત્રિય યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ચૂંટણી સમયે પરશોત્તમ રૂપાલાના થયેલા વિવાદમાં રાજીનામું આપ્યું હતું.

રવિરાજસિંહ ગોહિલે પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી. પદ્મિનીબા વાળા સોશિયલ મીડિયામાં રવિરાજસિંહને માનસિક પરેશાન કરી રહ્યા હતા. પદ્મિનીબાની સાથે ભાવનગરના એક યુવકે ખોટી રીતે રૂપિયા બાબતે રવિરાજસિંહને માનસિક ત્રાસ આપતા હતા. ત્યારે કંટાળીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

માનસિક રીતે હેરાન પરેશાન કરતા રવિરાજસિંહે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારે તાત્કાલિક રવિરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.