October 5, 2024

શું Virat Kohli અને Anushka Sharma કાયમ માટે લંડન શિફ્ટ થશે?

Virat Anushka: ટીમ ઈન્ડિયાનો મજબૂત ખેલાડીમાંથી વિરાટ એક છે. ICC T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીત્યા બાદ ભારત પરત ફર્યાના થોડા કલાકો બાદ જ લંડન જવા રવાના થઈ ગયો છે. અનુષ્કા હાલ તેના 2 બાળકો સાથે લંડનમાં છે. સ્થિતિમાં વિરાટ તરત જ તેને મળવા તરત જ લંડન જવા નિકળી ગયો છે. આ વચ્ચે વિરાટના શિફ્ટ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવો જાણીએ કે શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કાયમ માટે લંડન શિફ્ટ થઈ જશે?

પુત્ર અકાયનો જન્મ લંડનમાં
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બીજા બાળકનો જન્મ લંડનમાં થયો હતો. જે બાદથી જ વિરાટ અને અનુષ્કા મહિનાઓ સુધી બાળકો સાથે લંડનમાં જ રહી રહ્યા છે. એક માહિતી પ્રમાણે વિરાટ અને અનુષ્કાની ઈચ્છા છે કે તે અને તેમના બાળકો આ ગ્લેમરથી દુર રહે. જેના કારણે તેઓ લંડનમાં શિફ્ટ થઈ શકે છે.

ભારતમાં પ્રાઈવસી મળતી નથી
રોહિત અને અનુષ્કાની ફેન ફોલોઈંગ ઘણી છે. આ કારણથી તેમને ભારતમાં પ્રાઈવસી મળતી નથી. તેઓ હંમેશા લોકોની નજરમાં રહેવા માંગતા નથી આ પણ એક કારણ છે કે તેઓ લંડનમાં શિફ્ટ થઈ શકે છે.

વિરાટ કોહલી સાદું જીવન જીવવું પસંદ
વિરાટ કોહલીએ એક મડિયાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે આપણે દેશની બહાર હોઈએ છીએ ત્યારે આપણે સાવ સામાન્ય જીવન જીવી શકીએ છીએ. મારા માટે અને મારા પરિવાર માટે આ ખાસ અને અદ્ભુત અનુભવ છે. સાથે સમય વિતાવવાની આ તક મળવા બદલ હું ભગવાનો આભાર માનું છું. સામાન્ય વ્યક્તિની જેમ રહેવું પસંદ છે.

આ પણ વાંચો: દીકરાને જોવા દર્દ ભૂલી માતા, રોહિતની મમ્મીએ કપાળે કર્યું ‘ચુંબનતિલક’

બાળકોનું ભવિષ્ય
વિરાટ અને અનુષ્કા હંમેશા કહે છે કે તેમનું જીવન ખૂબ જ સાદું છે. તેમને સાદું જીવન અહિંયા ભારતમાં મળી શકે તેમ નથી. તેઓ લાઈમલાઈટમાં રહેવા માંગતા નથી. તેમના બાળકોના ફોટા કોઈ તેમને પુછ્યા વગર લે તે પણ તેમને પસંદ નથી. આ જ કારણ છે કે તે ભારતથી દૂર કોઈ જગ્યાએ શિફ્ટ થવા માંગે છે.