September 21, 2024

કેએલ રાહુલ અને અક્ષરને ન મળ્યું સ્થાન, પૂર્વ સ્પિનરે ચેન્નાઈ ટેસ્ટ માટે ટીમ પસંદ કરી

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી રમાવાની છે. ભારતે પ્રથમ ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

અલગ અલગ ચર્ચા
શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, સરફરાઝ ખાન અને જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચ શરૂ થવાને એક સપ્તાહથી વધુ સમય બાકી રહ્યો છે. આ વચ્ચે ભારતની પ્લેઈંગ-11ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ટીમને લઈને અલગ અલગ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

બધાને ચોંકાવી દીધા
ચેન્નાઈમાં રમાનાર પ્રથમ ટેસ્ટમાં કયા 11 ખેલાડીઓ ભારતીય ટીમ તરફથી રમશે જેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​બ્રેડ હોગ પહેલા જ પોતાના પ્લેઈંગ-11ની પસંદગી કરી ચૂક્યા છે. પ્લેઈંગ-11ને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિયાન, ભૂતપૂર્વ સ્પિનરે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. જે પ્રમાણે રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ,કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ, શુભમન ગિલ, વિરાટ કોહલીને જગ્યા આપવામાં આવી શકે છે.