September 10, 2024

શેર બજાર ધડામ, 17 લાખ કરોડ સ્વાહા! અમેરિકન મંદીની ભારતમાં શું અસર પડી શકે?

Indian Stock Markets: અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીની આશંકાથી ભારત સહિત દુનિયાના તમામ દેશોના શેર માર્કેટ વિખેરાઈ ગયા છે. સેન્સેક્સ 2600 અંક સુધી લપસ્યો તો નિફ્ટી પણ 24,000ની નીચે આવી ગયો. અનુમાન છે કે, શેર બજારનો આ ઘટાડો રોકાણકારોને લગભગ 17 લાખ કરોડનું નુક્સાન થયું છે. શેર બજારમાં આ ભૂકંપ અમેરિકામાં મંદી આવવાની આહટના કારણે થયું છે.

ખરેખરમાં અમેરિકાના તાજેતરના આંકડા દેખાડે છે કે ત્યાંની કંપનીઓના ગ્રોસ મેન્યુફેક્ચરિંગ આંકડા (PMI)માં ઘટાડો થયો છે. મતલબ કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. તેની સીધી અસર ત્યાંની કેટલીક મોટી કંપનીઓમાં છટણીના સ્વરૂપમાં આવી શકે છે. જો આમ થશે તો અમેરિકામાં બેરોજગારી વધશે. આ કારણે ત્યાં મોટી કંપનીઓના ઉત્પાદનોના વપરાશમાં ઘટાડો થઈ શકે છે.

આની એક અસર ભારતમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓની નિકાસમાં ઘટાડાના સ્વરૂપે પણ જોવા મળી શકે છે. એટલે કે જો અમેરિકામાં મંદી આવે તો તેની અસર માત્ર ત્યાં જ સીમિત નહીં રહે પરંતુ તેના કારણે વિશ્વભરમાંથી અમેરિકામાં થતી નિકાસને અસર થઈ શકે છે. આ કારણે મંદીની અસર વૈશ્વિક બની શકે છે.

આ પણ વાંચો: અમેરિકન સ્વિમરે અત્યાર સુધીમાં 162 દેશોએ જીતેલા મેડલ્સ કરતા વધુ મેડલ જીત્યા

‘ભારત પર મોટી અસર થવાની શક્યતા નથી’
જો અમેરિકામાં મંદી આવે તો ભારત પર તેની શું અસર થઈ શકે? આર્થિક બાબતોના નિષ્ણાતો અનુસાર, અમેરિકન અર્થવ્યવસ્થા સંકેત આપી રહી છે કે તે મંદીની પકડમાં આવી શકે છે. આગામી બે ત્રિમાસિક ગાળાના પીએમઆઈના આંકડાઓ જ આ બાબતનું મૂલ્યાંકન કરી શકશે કે આ કેટલું વ્યાપક અને ઊંડું હશે. પરંતુ શરૂઆતના લક્ષણો સારા નથી, જેનો અર્થ છે કે જો યુએસ સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

જ્યાં સુધી ભારત પર તેની અસરની વાત છે તો તેની સીધી અસર ભારતના તે વિસ્તારો પર પડી શકે છે જ્યાંથી અમેરિકામાં નિકાસ થાય છે. આમાં ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ, ફળો, ફૂલો અને શાકભાજીની નિકાસ, ડેરી ઉત્પાદનો અને એગ્રો-પ્રોસેસ્ડ કંપનીઓમાં નબળાઈ આવી શકે છે. જો નિકાસમાં ઘટાડો થશે તો તેની અસર ભારતીય કંપનીઓ પર પણ પડી શકે છે. નબળા ઉત્પાદનને કારણે અમારે અહીં પણ છટણીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા જશે ભારતીય ટીમ! ICCએ તૈયાર કર્યો પ્લાન

જે લોકો બીપીઓ કંપનીઓમાં અમેરિકન કંપનીઓ માટે કામ કરી રહ્યા છે ત્યાં મંદીની સીધી અસર તેમના પર પડી શકે છે. તેવી જ રીતે અમેરિકામાં કામ કરતા ભારતીયોની નોકરી પણ જોખમમાં આવી શકે છે. આવી સ્થિતિમાં આવા લોકો દ્વારા ભારતમાં મોકલવામાં આવતા પૈસા અને તેમના પર નિર્ભર લોકોના જીવનને ભારતમાં પણ અસર થઈ શકે છે.

બહુ અસર થવાની શક્યતા નથી
પરંતુ ભારતની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો આંતરિક બજાર પર નિર્ભર છે, તેથી જ વૈશ્વિક ફેરફારો પણ ભારતમાં મોટો આંચકો સાબિત થતા નથી. આવી સ્થિતિમાં આ અમેરિકન મંદીની ભારતીય અર્થવ્યવસ્થા પર મર્યાદિત અસર થઈ શકે છે. કેન્દ્ર સરકારે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને તેની પ્રાથમિકતા બનાવી હોવાથી અહીં રોજગારીનું સર્જન ચાલુ રહેશે. આ જ કારણ છે કે આ મંદીની સીધી અસર ભારત પર નહીં પડે. પરંતુ જો આ મંદી યુરોપ સહિત વિશ્વના અન્ય દેશોને અસર કરશે તો તેની અસર ગંભીર બની શકે છે.