બુલેટ ટ્રેનના બાંધકામના શ્રમિકોને નાટકથી સલામતીની ટ્રેનિંગ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/06/Ahmedabad-Mumbai-Bullet-Train.jpg)
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ બુલેટ ટ્રેનનું કામ પ્રગતિ પર છે. ત્યારે બાંધકામ શ્રમિકોને ‘પ્રયાસ’ નામના શેરી નાટકથી સલામતીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અંદાજિત 6 હજાર શ્રમિકોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામા આવી હતી.
બુલેટ ટ્રેનનું કામ બુલેટની ગતિથી આગળ વધી રહ્યું છે. ત્યારે શ્રમિકોની સેફ્ટી પણ એટલી જ મહત્વની છે. એનએચએસઆરસીએલે દ્વારા અનોખી રીતે તાલીમ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પ્રયાસ નાટક દ્વારા તાલીમ આપવામા આવી રહી છે.
આ પણ વાંચોઃ જવાહર ચાવડાના મનસુખ માંડવિયા પર પ્રહાર, કહ્યું – ચૂંટણી પહેલાં…
આ શેરી નાટકોનું આયોજન કરવાનો ઉદ્દેશ જાગૃતિ લાવવાનો અને કામદારોને બાંધકામ સ્થળોએ સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે શિક્ષિત કરવાનો છે. આ નાટકની રચના સલામતીના વિષયો જેવા કે ઉપકરણોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટીની પ્રતિભાવ પ્રક્રિયાઓ અને કામના સુરક્ષિત વાતાવરણને જાળવવાના મહત્ત્વને આવરી લેવા માટે કરવામાં આવી હતી.
દેશના વિવિધ ભાગોના જેમ કે યુ.પી., બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કામદારો માટે આ નાટક સુલભ બને અને જેઓ વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે, તે સુનિશ્ચિત કરવા માટે, શેરી નાટકોની ભાષા સરળ રાખવામાં આવી છે. નાટક, રમૂજ અને સંબંધિત દૃશ્યોને શેરી નાટકોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેથી કામદારોનું ધ્યાન આકર્ષિત કરી શકાય અને સલામતી સંદેશાઓનો અસરકારક રીતે સંચાર કરી શકાય. આ ઝુંબેશ આગામી છ મહિના સુધી ચાલુ રહેશે, જે બુલેટ ટ્રેન કોરિડોરમાં કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, નિર્માણાધીન સ્ટેશનો, ડેપો, પુલો અને વાયડક્ટ્સને આવરી લે છે.