ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર: ‘આતંકવાદીઓને શોધી-શોધીને મારીશું, કોઈને બક્ષવામાં નહીં આવે’

Amit Shah Pahalgam Attack: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, મોદી સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. અમે પહલગામ હુમલામાં સામેલ દરેક આતંકવાદીઓને શોધી-શોધીને મારીશું. સરકાર કોઈને પણ છોડશે નહીં.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "Under the leadership of Prime Minister Narendra Modi, we have given a strong reply to everything, be it the North East, the areas of Left Wing Extremism or the shadow of terrorism in Kashmir. If someone thinks that by carrying… pic.twitter.com/SdXGuDrJqQ
— ANI (@ANI) May 1, 2025
અમિત શાહે કહ્યું કે પહલગામમાં આતંકવાદનો ભોગ બનેલા આપણા ભાઈ-બહેનોને શ્રદ્ધાંજલિ. હું તેમના પરિવારને કહેવા માંગુ છું કે આ દુઃખ ફક્ત તેમનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું દુઃખ છે. અમે સમગ્ર દેશને કહેવા માંગીએ છીએ કે દેશના વડાપ્રધાન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. પહલગામ હુમલા બાદ જો તેઓ વિચારી રહ્યા હોય કે આ તેમની જીત છે. તો તમે ગેરસમજમાં છો.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "Today, I want to tell the public that we have been fighting strongly on the policy of zero tolerance against those who have been running terrorism in Kashmir since the 90s. Today, they (terrorists) should not think that they… pic.twitter.com/Gqvye3MSBF
— ANI (@ANI) May 1, 2025
આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે, યોગ્ય સજા આપવામાં આવશે
અમિત શાહના કહેવા પ્રમાણે, ‘આતંકવાદીઓએ આપણા 27 નાગરિકોના જીવ લઈને જંગ જીતી લીધી છે, તેઓ આ ભ્રમમાં ન રહે.’ તેમણે કહ્યું કે, તેઓ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગે છે કે આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. જેમણે આ કૃત્ય કર્યું છે તેમને ચોક્કસપણે યોગ્ય સજા આપવામાં આવશે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "…If someone, by doing a cowardly attack, thinks that it is their big victory, then understand one thing, this is the Narendra Modi government, no one will be spared. It is our resolve to uproot terrorism from every inch of… pic.twitter.com/c4c4FPN17h
— ANI (@ANI) May 1, 2025
આતંકવાદ સામે સમગ્ર વિશ્વ ભારતની સાથે ઉભું છે
ગૃહમંત્રીએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું, ‘…કોઈને પણ છોડવામાં નહીં આવે. આ દેશની દરેક ઈંચ જમીનમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો અમારો સંકલ્પ છે. આ લડાઈમાં માત્ર 140 કરોડ ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે છે. આતંકવાદ સામેની આ લડાઈમાં દુનિયાના તમામ દેશો એકત્ર થઈ રહ્યા છે અને ભારતના લોકો સાથે છે.