અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિરની પદયાત્રા પૂર્ણ, નીતા અંબાણી અને રાધિકા પણ થયા સામેલ

Anant Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામ નવમીના દિવસે તેઓ દ્વારકાધીશ મંદિર પહોંચ્યા છે. અનંત અંબાણીએ કહ્યું કે આ મારી પોતાની ધાર્મિક યાત્રા છે. ભગવાનનું નામ લઈને યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ભગવાનનું નામ લઈને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ભગવાન શ્રી દ્વારકાધીશની અમારા પર ખૂબ જ કૃપા રહી છે અને ભગવાને અમને શક્તિ આપી હતી, ત્યારથી જ અમે યાત્રા શરૂ કરી હતી અને હવે આ યાત્રા પૂરી થવા જઈ રહી છે. આ માટે હું ભગવાન શ્રી દ્વારકાધીશનો ખૂબ ખૂબ આભાર માનું છું.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | 'Padyatra' of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani says, "I extend my best wishes to all on… pic.twitter.com/JhL6KGkqvQ
— ANI (@ANI) April 6, 2025
અનંત અંબાણીએ કહ્યું કે આજે મારી પત્ની આવી છે અને મારા માતા પણ આવી રહી છે. મારા પિતાએ હંમેશા મને ટેકો આપ્યો છે, જ્યારે મેં તેમને આ યાત્રા પર જવા વિશે કહ્યું, ત્યારે તેમણે મને ઘણી શક્તિ અને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું કે હું મારા દાદી, મામા, સાસુ અને સસરા સહિત દરેકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | 'Padyatra' of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani's mother & Reliance Foundation… pic.twitter.com/B5KZvSdi1Y
— ANI (@ANI) April 6, 2025
અનંત અંબાણીની 110 કિમીની પદયાત્રા
અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, એક માતા તરીકે મારા નાના પુત્ર અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાનની પદયાત્રા પૂર્ણ કરતા જોવું ખૂબ જ ગર્વની વાત છે. છેલ્લા 10 દિવસથી અનંતની પદયાત્રામાં સામેલ બધા યુવાનો આપણી સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે તે અનંતને શક્તિ આપે. અનંત અંબાણીએ 110 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી.
આ પણ વાંચો: જે કરવું હોય તે કરી લો, હિમ્મત હોય રોકીને બતાવો… રામનવમીની શોભાયાત્રાને લઈ ટી રાજાનો CMને પડકાર