September 17, 2024

શેખ હસીના બાંગ્લાદેશથી આવી શકે છે ભારત! જાણો ક્યાં રોકાશે

Sheikh Hasina Resignation: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે દેશની રાજધાની ઢાકા છોડી દીધી છે. માનવામાં આવે છે કે હવે બાંગ્લાદેશની કમાન સેનાના હાથમાં જશે. શેખ હસીનાએ એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના ઢાકા છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલી ગઈ છે. શેખ હસીનાના ઘરમાં લાખો લોકો ઘૂસી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન સૈન્ય હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા છે.

શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા
પ્રથમ આલો અખબારના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા છે. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે સેના દેશની કમાન સંભાળવા જઈ રહી છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવા માટે ઘણા સમયથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. આ પ્રદર્શનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, આ સાથે હજારો લોકો ઘાયલ થયા છે.

દેશની સરકારી કચેરીઓમાં લોકડાઉન
હિંસક વિરોધ બાદ દેશમાં રાજકીય સ્થિરતા જોખમમાં હતી. કર્ફ્યુ અને ઈન્ટરનેટ બ્લેકઆઉટને કારણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને 10 અબજ ડોલરનું નુકસાન થયું છે. સોમવારથી ત્રણ દિવસ માટે દેશમાં બેંકો સહિત સરકારી અને ખાનગી કચેરીઓ ફરી બંધ કરવામાં આવી છે. દેશભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં PM આવાસમાં ઘૂસ્યાં હજારો પ્રદર્શનકારી, સોફા-ખુરશી સહિતની વસ્તુની લૂંટફાટ

ઇસ્લામિક જમાત પર પ્રતિબંધ પછી સ્થિતિ વધુ વણસી
તાજેતરમાં બાંગ્લાદેશના વડા પ્રધાને જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનું માનવું હતું કે ઈસ્લામિક જમાત દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ભાગલા વખતે પણ આ જમાત પાકિસ્તાનની તરફેણમાં હતી, તેથી દેશના ઘણા રાજકીય લોકો જમાતની વિરુદ્ધ હતા. આ ગ્રુપ પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. સરકારનો આરોપ છે કે વિદ્યાર્થીઓની આડમાં જમાત દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. જમાત પર પ્રતિબંધ લગાવ્યાના ત્રણ દિવસની અંદર પીએમ હસીનાએ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શેખ હસીનાના ઘર પર લાખોએ હુમલો કર્યો છે. બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ છે.