July 4, 2024

Bihar: Saranમાં ચૂંટણી બાદ હિંસા, ગોળીબારમાં એકનું મોત

Lokshabha Elections 2024: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદ સારણમાં હિંસક અથડામણ થઈ છે. મંગળવારે બંને પક્ષો વચ્ચે તકરાર વધી જતાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ જ વિવાદ શરૂ થયો હતો. મામલો છપરાના ભીખારી ઠાકુર ચોકનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એક પોલિંગ બૂથ પાસે બીજેપી અને આરજેડી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી આજે જ્યારે આરજેડી કાર્યકર્તાઓ બીજેપી નેતાઓના ઘરે પહોંચ્યા અને મારપીટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષો ઉશ્કેરાયા હતા અને બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

સોમવારે વિવાદ થયો હતો
સોમવારે મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય પણ છપરાના ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેની લોકો સાથે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી ત્યાંના મતદારો સાથે ગેરવર્તન કરી રહી હતી. જોકે, ત્યાંની પરિસ્થિતિ જોઈને રોહિણી ત્યાંથી નીકળી ગયા. જે બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ઘટના બાદ સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, “RJD અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. આજે કેટલાક લોકોએ તેને લઈને ગોળીબાર કર્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. “ઇન્ટરનેટ પણ બે દિવસથી બંધ છે.”

આ પણ વાંચો: પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનું ‘રેડ એલર્ટ’, જાણો તંત્રની તૈયારી

ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સોમવારે રોહિણી આચાર્ય સારણના બૂથ નંબર 318 પર પહોંચી હતી અને આ પણ વિવાદની શરૂઆત હતી. ભાજપના કાર્યકરો પર આજે ફાયરિંગનો આરોપ છે.

લાલુની પુત્રી ઉમેદવાર
એક તરફ ભાજપના દિગ્ગજ નેતા રાજીવ પ્રતાપ રૂડી એનડીએ તરફથી સારણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય રૂડી સામે ચૂંટણી લડી રહ્યા છે. રોહિણીએ આ લોકસભામાંથી પહેલીવાર રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

20મી મેના રોજ મતદાન થયું હતું
20 મેના રોજ, બિહારમાં કુલ 5 લોકસભા બેઠકો પર મતદાન થયું, જેમાં હાજીપુર, સારણ, મુઝફ્ફરપુર, મધુબની અને સીતામઢીનો સમાવેશ થાય છે.