બિલાવલ ભુટ્ટોએ પોતાની માનસિક સ્થિતિ તપાસવી જોઈએ: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

Hardeep Singh Puri: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામ જિલ્લામાં એક પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારત સરકારે કાર્યવાહી કરી છે અને સિંધુ જળસંધિ રદ કરી છે. તાજેતરમાં જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિલાવલ ભુટ્ટોના નિવેદન પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું, “તેમને કહો કે તેઓ તેમની માનસિક સ્થિતિ તપાસે. તેઓ કેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે? બસ, હવે બહુ થયું, આપણે આ સહન નહીં કરીએ, ચાલો થોડા દિવસ રાહ જોઈએ.”
#WATCH | Mohali: On Pakistan Peoples Party Chairman Bilawal Bhutto-Zardari's statement on the suspension of the Indus Water treaty, Union Minister Hardeep Singh Puri says, "Tell him to get his mental condition checked, what kind of statements he is giving. Enough is enough…Now… pic.twitter.com/jXUR9J4I5w
— ANI (@ANI) April 26, 2025
બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું?
પાકિસ્તાની રાજકારણી બિલાવલ ભુટ્ટોએ ભારતને ખુલ્લી ધમકી આપી છે. બિલાવલે કહ્યું, “કાં તો સિંધુ નદીમાં હવે પાણી વહેશે, અથવા તેમનું લોહી વહેશે.” સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે.” નોંધનીય છે કે, બિલાવલ ભુટ્ટો પહેલા પણ ઘણી વખત પોતાના જોરદાર નિવેદનોને કારણે સમાચારમાં રહી ચૂક્યા છે. જોકે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર કાબુ નહીં લે ત્યાં સુધી તેની સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં. પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે.