July 2, 2024

CBIએ સીએમ કેજરીવાલની કરી ધરપકડ, આજે સુપ્રીમ કોર્ટમાં જામીન પર સુનાવણી

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા સીએમ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન CBIએ કોર્ટ પાસે કેજરીવાલના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે અમને કેજરીવાલને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાની મંજૂરી આપવી જોઈએ.

જો કે કેજરીવાલના વકીલે સીબીઆઈની માંગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોર્ટે કેજરીવાલની ધરપકડની મંજૂરી ન આપવી જોઈએ. આ કિસ્સામાં કોઈ યોગ્યતા નથી. સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે. એટલા માટે અમે હજુ સુધી કેજરીવાલની ધરપકડ કરી નથી. કેજરીવાલને વિશેષ ન્યાયાધીશ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. CBIએ મંગળવારે સાંજે તિહાર જેલમાં આમ આદમી પાર્ટી (AAP) નેતાની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: CBIએ સીએમ કેજરીવાલની કરી ધરપકડ, આજે સુપ્રીમ કોર્ટમાં જામીન પર સુનાવણી

કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. AAPએ કહ્યું, આજે જ્યારે બીજેપીને લાગ્યું કે દિલ્હીના પુત્ર કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી શકે છે, ત્યારે તેઓએ ફરીથી સીબીઆઈ દ્વારા નકલી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું. ભાજપના દરેક ષડયંત્રનો જવાબ આપવામાં આવશે. આખરે સત્યનો જ વિજય થશે.

CMએ અરજી પાછી ખેંચી લીધી
સીબીઆઈની ધરપકડ બાદ સીએમ કેજરીવાલે પણ જામીન પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

 

સતત અપડેટ ચાલુ છે…