September 19, 2024

છત્તીસગઢમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે સ્વાઈન ફ્લૂ, 17ના મોત; 300થી વધુ સંક્રમિત

Chhattisgarh Swine flu: છત્તીસગઢમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યભરમાં ફરી 14 નવા સ્વાઈન ફ્લૂના દર્દીઓની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 17 લોકોના મોત થયા છે. બિલાસપુરમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા છે. જો અસરકારક નિવારણ પગલાં લેવામાં ન આવે તો, N1H1 વાયરસ બેકાબૂ બની શકે છે. ચેપની ઝડપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે નિયંત્રણના પ્રયાસો તેજ કર્યા છે.

છત્તીસગઢના લોકોને સાવચેતી રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. માત્ર બિલાસપુર જિલ્લામાં 20 દિવસમાં 144 દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 7ના મોત થયા છે. ગુરુવારે ત્રણ નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂના દર્દીઓ સતત જોવા મળી રહ્યા છે અને જેમ જેમ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાયરસ પણ મજબૂત બની રહ્યો છે અને તેના સંપર્કમાં આવતા લોકોને પણ ચેપ લાગ્યો છે.

સ્વાઈન ફ્લૂના વધતા જોખમને કારણે મહાસમુંદ જિલ્લો પણ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7 દર્દીઓની પુષ્ટિ થઈ છે. સ્વાઈન ફ્લૂથી પીડિત એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. 4 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. એક દર્દી હોમ આઇસોલેશનમાં છે, જ્યારે એકની રાયપુરમાં સારવાર ચાલી રહી છે. સ્વાઈન ફ્લૂના વધતા જતા કેસોને જોતા મહાસમુદ મેડિકલ કોલેજમાં વિશેષ વોર્ડ અને આઈસીયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પોઝિટિવ દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ સતત કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગે લોકોને સ્વાઈન ફ્લૂથી બચવા અપીલ કરી છે.

આ સાથે જ દુર્ગ જિલ્લામાં પણ સ્વાઈન ફ્લૂએ પ્રવેશ કર્યો છે. અહીં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. તો 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક મહિનામાં જિલ્લામાં સ્વાઈન ફ્લૂના 23 દર્દીઓ મળી આવ્યા છે. હવે નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ વિનેશ ફોગાટે કર્યા BJP પર પ્રહાર

રાયપુરના 10, બીજાપુર, ધમતરી, મહાસમુંદ અને સરનગઢના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે કુલ 316 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. હાલમાં 112 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે 13 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. બિલાસપુર જિલ્લો રાજ્યનું હોટ સ્પોટ રહ્યું છે. અત્યાર સુધીમાં બિલાસપુર સ્વાઈન ફ્લૂના 108 દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે રાયપુરમાં 85, દુર્ગમાં 26, જાંજગીરમાં 20 અને કોરબામાં 26 દર્દીઓ મળી આવ્યા છે. તમામ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.