September 19, 2024

CJI ચંદ્રચૂડે સ્વતંત્રતા દિવસે બાંગ્લાદેશને ટાંકીને કર્યું મહત્વનું નિવેદન

Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 78માં સ્વતંત્રતા દિવસને લઈને આયોજિત એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું, “આ એ દિવસ છે જે આપણને બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવા માટે એકબીજા અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિભાવવાની યાદ અપાવે છે.” સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકતા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ભારતે 1950માં સ્વતંત્રતાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું, “આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આ બંને વસ્તુઓ કેટલી કિંમતી છે તેની સ્પષ્ટ યાદ અપાવે છે, તે આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાની કિંમત શું છે!”

સ્વતંત્રતાને સરળ સમજવી આસાન છે, પરંતુ…
તેમણે વધુમાં કહ્યું કે આજે સવારે હું કર્ણાટકના એક ગાયકનો લેખ વાંચી રહ્યો હતો, જેનું નામ ‘સાઉન્ડ્સ ઓફ ફ્રીડમ’ છે, આજે ઘણા યુવા વકીલો આઝાદી પછીની પેઢીના છે, પરંતુ તમારામાંથી ઘણા કટોકટી પછીની પેઢીના છે પેઢી સ્વતંત્રતાને સરળ સમજવી સહેલું છે; તેનું કેટલું મહત્વ છે તે સમજવા માટે ભૂતકાળની વાર્તાઓ જાણવી જરૂરી છે.

‘બાર મેમ્બર્સ જનતા અને જજો વચ્ચે મહત્વની કડી’
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, “બારના વકીલો આપણા દેશમાં અચ્છાઇની શક્તિ છે. અદાલતો, અધિકારો અને સ્વતંત્રતાને જીવંત રાખવા માટે કામ કરે છે, બાર કાઉન્સિલના સભ્યો જનતા અને જજ વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. તેઓ અમને લોકોની પીડા જોવાની તક આવે છે.”