‘પપ્પુ અને ટપ્પુમાં બહુ ફરક નથી’, CM યોગીએ અખિલેશ યાદવને UPના રાહુલ ગાંધી કહ્યા…

UP Assembly Budget Session: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ મહાકુંભની વ્યવસ્થાને લઈને યોગી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. આજે વિધાનસભાના બજેટ સત્રમાં સીએમ યોગીએ આનો જવાબ આપ્યો. સીએમ યોગીએ અખિલેશ યાદવ પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપ સાથે લડતા-લડતા તમે ભારત સાથે લડવાનું શરૂ કરી દીધું છે. સીએમ યોગીએ અખિલેશ પર દેશ વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે અખિલેશ યાદવની સરખામણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરીને તેમની ટીકા પણ કરી. સીએમ યોગીએ કહ્યું કે પપ્પુ અને ટપ્પુમાં બહુ ફરક નથી. જો રાહુલ ગાંધી દેશમાં ભાજપની જીતની ગેરંટી છે, તો અખિલેશ યુપીમાં પણ ભાજપની જીતની ગેરંટી છે.
आज विधान सभा में… https://t.co/Pem98XkcO8
— Yogi Adityanath (@myogiadityanath) February 19, 2025
સીએમ યોગીએ એક અખબારનું કટિંગ બતાવતા કહ્યું કે અખિલેશ યાદવે કહ્યું છે કે આપણો દેશ ક્યારેય વિકસિત ભારત નહીં બની શકે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. એક રાજકીય પક્ષને પોતાના દેશ પ્રત્યે ખૂબ જ દ્વેષભાવ થવા લાગ્યો છે. એટલા માટે હવે દેશ કહેવા લાગ્યો છે કે જો રાહુલ ગાંધીની હાજરી દેશમાં ભાજપની જીતની ગેરંટી છે તો યુપીમાં અખિલેશ યાદવની હાજરી ચોક્કસપણે ભાજપની જીતની ગેરંટી છે. આ ગેરંટી પેટાચૂંટણી દ્વારા આપવામાં આવી છે.
સીએમ યોગીએ કહ્યું કે પપ્પુ અને ટપ્પુમાં બહુ ફરક નથી. નામનો પ્રભાવ છે. અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે કાકાએ નામ એમનમ નથી રાખ્યું. ચાચા હવે શાંત છે પણ સમય આવશે ત્યારે પોતાની તાકાત બતાવશે.
महाकुम्भ-2025, प्रयागराज आयोजन समाज का है।
एक सेवक के रूप में अपने उत्तरदायित्वों का निर्वहन करना हमारी जिम्मेदारी है… pic.twitter.com/Dh3GLNKEHz
— Yogi Adityanath (@myogiadityanath) February 19, 2025
સીએમ યોગીએ કહ્યું કે હું નમ્રતાથી કહીશ કે તમારે મહાકુંભ પર તમારા વિચારો શાલીનતાથી વ્યક્ત કરવા જોઈએ. તીર્થયાત્રાઓ થતી રહી છે. હજ યાત્રાઓ પણ થાય છે. તેમને બદનામ ન કરો. જેઓ જીવિત છે તેઓને મૃત્યુ પામેલાઓમાં ગણશો નહિ. માત્ર ભાગદોડ જ નહીં, મહાકુંભથી પરત ફરી રહેલા લોકો સાથે થયેલા અકસ્માતો પ્રત્યે પણ સરકાર ખૂબ સહાનુભૂતિ ધરાવે છે. ઘટનાઓની તપાસ માટે જ ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. કમિશન તેની તપાસમાં વ્યસ્ત છે.
अच्छे कार्य का विरोध करना समाजवादियों का संस्कार है…
जिन्होंने रात में चुन-चुन के बस्तियों को लूटा,
वही नसीब के मारों की बात करते हैं… pic.twitter.com/RRzV2VtPD9— Yogi Adityanath (@myogiadityanath) February 19, 2025
યોગીએ કહ્યું કે તેઓ ગૃહને ખાતરી આપશે કે જો કોઈ પણ ભાગદોડ માટે દોષિત હશે તો તેને બક્ષવામાં આવશે નહીં. ક્યાય પણ છુપાયો હશે, ગમે તે સ્તરે જાય, ભલે તે કેટલો મોટો હોય, પણ બચશે નહીં. આ કાર્યક્રમ કોઈ પક્ષ કે સરકાર દ્વારા આયોજિત નથી. અમે અમારી જવાબદારીઓ નિભાવી છે. આ આયોજન સનાતન ધર્મનું છે. આ ઘટના ભારત અને સમાજની છે. સનાતન ધર્મ અને ભારતને બદનામ ન કરો.