August 8, 2024

સંવિધાન હત્યા દિવસ પર આ શું બોલી કોંગ્રેસ, મોદી સરકારના દાવ પર વિપક્ષની પ્રતિક્રિયા

Samvidhaan Hatya Diwas: કેન્દ્રની મોદી સરકારે આજે એક મોટો નિર્ણય લઈને 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. હવે મોદી સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નોન-બાયોલોજિકલ વડાપ્રધાન ફરી એકવાર દંભથી ભરેલી હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

4 જૂન મોદી મુક્તિ દિવસ: કોંગ્રેસ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર એક્સ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે ભારતના લોકોમાં 4 જૂન 2024 ના દિવસને ઇતિહાસમાં મોદી મુક્તિ દિવસ તરીકે ઓળખવામાં આવશે, આ દિવસે મળેલ નિર્ણાયક, વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર પહેલા પીએમ મોદીએ દસ વર્ષો સુધી દેશમાં અઘોષિત કટોકટી લગાવી રાખી. આ એ જ નોન-બાયોલોજિકલ વડાપ્રધાન કનને જેમણે ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્થાનો પર સુનિયોજિત રીતે આક્રમણ કર્યું.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે વધુમાં લખ્યું કે, “આ એ જ નોન બાયોલોજિકલ વડાપ્રધાન છે, જેમના વૈચારિક પરિવારે નવેમ્બર 1949માં ભારતના બંધારણને એ આધાર પર ફગાવી કાઢ્યું હતું કે તે મનુસ્મૃતિથી પ્રેરિત નથી, જેમના માટે ડેમોક્રેસીનો અર્થ માત્ર ડેમો-કુર્સી છે.”

અખિલેશ યાદવે ભાજપ પર સાધ્યું નિશાન
સમાજવાદી પાર્ટીએ પણ મોદી સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો. પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “30 જાન્યુઆરીને બાપુ હત્યા દિવસ અને લોકશાહી હત્યા દિવસના સંયુક્ત દિવસ તરીકે ઉજવવો જોઈએ, કારણ કે આ દિવસે ભાજપે ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી.” આ દરમિયાન તેમણે હત્યા દિવસને લઈને ભાજપને અનેક સવાલો કર્યા હતા.

અખિલેશ યાદવે સવાલ કરતાં પૂછ્યું….
મણિપુરમાં મહિલા સન્માન હત્યા દિવસ
હાથરસની દીકરી હત્યા દિવસ
લખીમપુરમાં ખેડૂત હત્યા દિવસ
કાનપુર દેહાતમાં માતા-પુત્રીનો હત્યા દિવસ
ત્રણ કાળા કાયદાને કારણે કૃષિ હત્યા દિવસ
પેપર લીક કરીને પરીક્ષા તંત્ર હત્યા દિવસ
અગ્નિવીરથી સામાન્ય આર્મી ભરતી હત્યા દિવસ
બેરોજગારીના કારણે યુવાનોના સપનાનો હત્યા દિવસ
વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય પરિવારોના ભવિષ્યનો હત્યા દિવસ
નોટબંધી અને GSTના અમલથી વ્યાપાર હત્યા દિવસો
યશ ભારતી જેવા પુરસ્કારો બંધ કરીન થયેલ હુનર સન્માન હત્યા દિવસ
વસ્તીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ ન આપીને સામાજિક ન્યાયનો હત્યા દિવસ
સરકારી નોકરીઓની તકો ખતમ કરીને આરક્ષણ હત્યા દિવસ
જૂની પેન્શન યોજના હત્યા દિવસ
શંકાસ્પદ થઈ ચૂકે EVM ન હટાવીને બેલેટ પેપર હત્યા દિવસ