September 21, 2024

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, પાકિસ્તાનમાં હતું કેન્દ્ર

Delhi: દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

મળતી માહિતી મુજબ ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો: અનામત પર બતાવી દીધો અસલી ચહેરો… Rahul Gandhiના નિવેદન પર લાલઘૂમ અમિત શાહ

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા 29 ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી હતી. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

બે અઠવાડિયામાં બીજો ભૂકંપ
દિલ્હી-એનસીઆરમાં બે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 29 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રુજી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા હતા. જેમાં થોડી સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપ દરમિયાન પંખા, ખુરશીઓ અને અન્ય વસ્તુઓ ધ્રૂજતી જોવા મળી હતી.