વડાલીમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીના મોત બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ચિરાગ મેઘા, સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલીમાં ગતરોજ સગર પરિવારે સામૂહિક આપઘાત કરવા ઝેરી દવા ગટગટાવતા પતિ-પત્નીના મોત થયા છે. તેમજ બે દીકરાઓ સહિત એક દીકરી ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વડાલી સગર સમાજના પરિવારના પાંચ સભ્યોએ એકસાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચ્યો છે. ત્યારે હાલમાં સામૂહિક આપધાત મામલે પતિ-પત્નીના મોત બાદ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના વડાલીમાં ગતરોજ સગર પરિવારે અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવતા 2નાં મોત થયા છે. તેમજ ત્રણ બાળકો ઈડર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે ઝેરી દવા કયા કારણસર ગટગટાવી છે તે હજી જાણી શકાયું નથી. તેમજ પોલીસે પણ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી ચોક્કસ તારણ મળી શક્યું નથી. ત્યારે હાલમાં પતિ-પત્નીના મોત થતા ત્રણ બાળકો નોંધારા થયા છે, તો બીજી તરફ ત્રણ બાળકો પૈકી બે દીકરાઓની હાલત અત્યંત ગંભીર થતાં તેમને અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ત્યારે વડાલી પંથકમાં સામૂહિક આપઘાતના મામલે ભારે પ્રત્યાઘાત સર્જાયા છે. સાથોસાથ સામાજિક ધોરણે પણ ભારે ખળભળાટ સર્જાયો છે. જોકે પોલીસે આત્મહત્યા પાછળ કયા કારણ જવાબદાર છે તે જાણવા મોબાઇલ સહિતની ચીજ-વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતના પ્રયાસને લઈ સમગ્ર વડાલી શહેર સહિત જિલ્લામાં ભારે ખળભળટ સર્જાયો છે. જોકે પરિવારનાં મોભીએ પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેણે પગલે સમાજમાં પણ ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. સમાજના આગેવાનો સહિત યુવાનોએ પરિવારના સામુહિક આપઘાત પાછળ વ્યાજખોર હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી સામૂહિક આપધાત પાછળ જવાબદારને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જોકે આવનાર દિવસમાં સામૂહિક આપઘાત પાછળ જવાબદાર કારણો બાબતે મોટા ખુલાસા થવાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે સમાજના આગેવાનોએ ચોક્કસ દિશામાં તપાસની માગ સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ બાળકોને ન્યાય મળે તેવી માગ કરી છે.

જોકે એક જ પરિવારનાં પાંચ સભ્યોએ એક સાથે સામુહિક આપધાતનો પ્રયાસ કરી પતિ-પત્નીનું મોત થયું તેમજ ત્રણ બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના ખુલાસા કરવામાં આવે છે તે પણ મહત્વનું બની રહે છે.