September 6, 2024

ચાંદીપુરા વાયરસના 9 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 27નાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં ચાંદીપુરાના કુલ 9 કેસો સામે આવ્યાં છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ સામે આવ્યાં છે. તેમાંથી 27 દર્દીઓનાં મોત નીપજ્યા છે. આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કરી સમગ્ર માહિતી આપી છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં એન્કેફેલાઇટીસ એટલે ચાંદીપુરા વાયરસના સાબરકાંઠામાંથી 8 કેસ, અરવલ્લીમાંથી 4 કેસ, મહિસાગરમાંથી 2 કેસ, ખેડામાંથી 5 કેસ, મહેસાણામાંથી 4 કેસ, રાજકોટમાંથી 2 કેસ, સુરેન્દ્રનગરમાંથી 2 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાંથી 4 કેસ, ગાંધીનગરમાંથી 5 કેસ, પંચમહાલમાંથી 11 કેસ, જામનગરમાંથી 5 કેસ, મોરબીમાંથી 4 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાંથી 2 કેસ, છોટા ઉદેપુરમાંથી 2 કેસ, દાહોદમાંથી 2 કેસ, નર્મદામાંથી 1 કેસ, બનાસકાંઠામાંથી 2 કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા?
વડોદરામાં 1 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને કચ્છમાં 1 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
સાબરકાંઠામાં 1 કેસ, અરવલ્લીમાં 2 કેસ, મહેસાણામાં 2 કેસ, ગાંધીનગરમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, મોરબીમાં 1 કેસ, વડોદરામાં 1 કેસ, આમ મળીને કુલ 9 કેસ ચાંદીપુરા વાયરસના જોવા મળ્યા છે.

કયા જિલ્લામાં કેટલા મોત થયાં?
સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પંચમહાલમાં 4, મોરબીમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, દાહોદમાં 2, બરોડામાં 1, દ્વારકામાં 1 એમ કુલ મળીને 27 દર્દીઓનાં મોત નીપજ્યા છે.