ભારત-પાકિસ્તાનની મેચ બાદ IIT બાબા થયા ટ્રોલ, વિરાટને લઈ કરી હતી મોટી ભવિષ્યવાણી

INDvsPAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી અને પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારત પાકિસ્તાન મેચ પછી આઈઆઈટીયન બાબા (અભય સિંહ) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયા. તેમણે મેચ પહેલા એક મોટી આગાહી કરી હતી.
IITian બાબાને કેમ ટ્રોલ કરવામાં આવ્યા?
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા આઈઆઈટીયન બાબાએ એક મોટી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે. આ ઉપરાંત બાબાએ વિરાટ કોહલી વિશે એમ પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ રહેશે.
Few words for IIT Baba…..#INDvsPAK pic.twitter.com/Jm0dNAzDfD
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 23, 2025
પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં બાબાની આગાહી ખોટી પડી. ભારતે આ મેચ પણ જીતી હતી અને વિરાટ કોહલીએ પણ આ મેચમાં એક શાનદાર સદી ફટકારી હતી. હવે ભારતીય ટીમની જીત બાદ બાબાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Idhar aa tujhe Baba banata hoon#IITBaba #ViratKohli pic.twitter.com/2NUEju1lzE
— Gulvinder (@rebelliousdogra) February 23, 2025
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન સઉદ શકીલે બનાવ્યા. તેણે 62 રનની ઇનિંગ રમી. લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતે ફક્ત 42.3 ઓવરમાં મેચ જીતી લીધી. કિંગ કોહલીએ 111 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી. તેના સિવાય શ્રેયસ ઐયરે 56 રન બનાવ્યા.
આ પણ વાંચો: અમદાવાદમાં અહીં ભારત-પાકિસ્તાનની જીત બાદ પથ્થરમારાની ઘટના, પોલીસે 7 લોકોની કરી અટકાયત