ડિફેન્સ એક્સપોર્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, રાજનાથ સિંહે પીએમ મોદીને આપ્યો શ્રેય
Defense exports: નાણાકીય વર્ષ 2023-2024માં દેશની સંરક્ષણ નિકાસમાં 32.5%નો વધારો થયો છે અને તે પ્રથમ વખત રૂ. 21,000 કરોડને પાર કરી ગયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે.
ભારતે તેની સંરક્ષણ નિકાસમાં ઈતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024માં દેશની સંરક્ષણ નિકાસમાં 32.5%નો વધારો થયો છે અને તે પ્રથમ વખત રૂ. 21,000 કરોડને પાર કરી ગયો છે. આ રેકોર્ડ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર લખ્યું કે નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘2023-24માં સંરક્ષણ નિકાસ રેકોર્ડ રૂ. 21,083 કરોડને સ્પર્શી ગઈ છે, જે ગત નાણાકીય વર્ષ 2022-23ના રૂ. 15,920 કરોડ કરતાં 32.5% વધુ છે. આ એક વર્ષમાં અત્યાર સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ છે.
A monumental achievement in India's defence sector. The soaring exports in the sector are a manifestation of our nation's growing capabilities. Proud of the hard work and innovation of our people, which has propelled India onto the global stage in the world of defence. Our… https://t.co/yv60yNqPza
— Narendra Modi (@narendramodi) April 1, 2024
21 હજાર કરોડનો આંકડો પાર કર્યો
આ એક્સપોર્ટમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર સંરક્ષણ ક્ષેત્રે અનુક્રમે 60% અને 40% યોગદાન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતની સંરક્ષણ નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે.
આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, આ દિગ્ગજ ખેલાડીનું કપાઇ શકે છે પત્તું
50 કંપનીઓએ નિકાસ કરી
નોંધનીય છે કે લગભગ 50 ભારતીય કંપનીઓએ 84 દેશોને તેમના સંરક્ષણ ઉત્પાદનો વેચીને આ ચમત્કારિક લક્ષ્ય હાંસલ કર્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રક્ષા મંત્રાલયે આવા ઘણા પગલા લીધા જે સફળ થયા છે.