સિંધુ કરાર શું છે અને તેનાથી પાકિસ્તાનને શું ફરક પડે?

jammu kashmir latest News: પહલગામમાં હુમલા બાદ ભારતે આ મામલે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. આ બાદ મોદી સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 5 મોટા નિર્ણય લીધા છે. આવું કરવાથી પાકિસ્તાન ઘૂંટણીએ આવી જશે. તેમાંથી એક નિર્ણય જળનો છે. હવે તમને સવાલ થતો હશે કે આ શું છે સિંધુ જળ સમજૂતી? આવો જાણીએ તમામ માહિતી.
શું છે સિંધુ જળ સમજૂતી?
વર્ષ 1947માં ભારતને આઝાદી મળી હતી. આ પછી ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે પાણીના મુદ્દે ખેંચતાણ જોવા મળી હતી. પાણીના કારણે ઘણો વિવાદ જોવા મળ્યો હતો. બે દેશ વચ્ચે ભાગલાં પડ્યાં બાદ નહેરના પાણીને લઈને પાકિસ્તાન સશંકિત થઈ ગયું હતું. ત્યારે વર્ષ 1949માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયેન્થલે આ સમસ્યાના ઉકેલ માટે સલાહ આપી હતી. જેમાં ટેકનિકલ તથા વ્યાપારિક દ્રષ્ટીએ સમાધાન લાવવાની સલાહ આપી હતી. લિલિયેન્થલે આ સમયે બંને દેશ ભારત અને પાકિસ્તાનને સલાહ આપી હતી કે આ મામલે વિશ્વ બેંક પાસેથી મદદ પણ લઈ શકો છો. સપ્ટેમ્બર વર્ષ 1951માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતા કરવાનું સ્વીકાર્યું હતું. જે બાદ લગભગ 10 વર્ષ સુધી આ વિશે વાતચીત ચાલી હતી.અંતે વર્ષ 19 સપ્ટેમ્બર, 1960નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી કરવામાં આવી હતી. આ પછી આ કરારને સિંધુ જળ સંધિ કહેવાય છે.
આ પણ વાંચો: શ્રેયસ ઐયરની બહેને ટ્રોલ્સને આપ્યો જોરદાર જવાબ, જાણો સમગ્ર મામલો
પાકિસ્તાનને હવે પડે ભારે મુશ્કેલી
સિંધુ જળ કરાર વર્ષ 1960માં કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચેનો આ કરાર સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીનું વિભાજન કરે છે. સતલજ, બિયાસ, રાવીનું પાણી ભારતને અને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબનું પાણી મુખ્યત્વે પાકિસ્તાનને મળતું હતું. ભારતનો 30% અને પાકિસ્તાન 70% પાણીનો હિસ્સો હતો. આ કરાર રદ્દ થવાથી હવે પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં પાણીની તીવ્ર અછત થઈ શકે છે. જેમાં સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓને પાકિસ્તાનમાં આવેલા પંજાબમાં પાણી પૂરુ પાડે છે. આવું થવાની પાકિસ્તાનના પંજાબમાં પાણી માટે ફાંફા પડી શકે છે. પીવાના પાણીથી લઈને ખેતી માટે પણ સમસ્યા થઈ શકે છે.મહત્વની વાત એ છે પાકિસ્તાનની ખેતી 90% સિંચાઈ પર નિર્ભર છે. મોટો હિસ્સો સિંધુ નદી પ્રણાલીમાંથી આવે છે. તે કેન્સલ કરવામાં આવ્યો છે. જેનાથી અર્થતંત્રને ખૂબ નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન આ માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે છે. પરંતુ તેનાથી તાત્કાલિક કોઈ રાહત મળવાની નથી. જેના કારણે પાકિસ્તાનને ખાવાની સાથે પીવાના પણ ફાંફા પડી શકે છે.