September 17, 2024

દરેક હદ પાર… હિઝબુલ્લાહ સામે લડી લેવાના મૂડમાં ઈઝરાયલ, નવા યુદ્ધનો વધ્યો ખતરો

Israel: ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલના મેદાન પર થયેલા હુમલાએ આ ક્ષેત્રમાં નવેસરથી યુદ્ધ શરૂ થવાની આશંકા વ્યક્ત કરી છે. આ હુમલામાં બાળકો સહિત 12 લોકોના મોત થયા છે. જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. ઈઝરાયલે હુમલા માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યો છે, પરંતુ જૂથે તેનો ઈન્કાર કર્યો છે. રવિવારે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે કહ્યું છે કે હવે હિઝબુલ્લાએ તમામ હદો વટાવી દીધી છે અને હવે તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેને ઘટનાસ્થળે પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે ફૂટબોલની પિચ પર જે રોકેટ પડ્યું હતું તે ઈરાનમાં બનેલું ફલક-1 રોકેટ હતું. સેનાએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ કમાન્ડર દક્ષિણ લેબેનોનના શેબામાં લોન્ચિંગ સાઇટ પરથી હુમલાઓ કરી રહ્યો હતો. હિઝબુલ્લાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હુમલા પાછળ તેનો હાથ નથી. જો કે, હિઝબુલ્લાહ નિયમિતપણે ઈઝરાયલના લક્ષ્યો પર હુમલો કરે છે અને તેમની જવાબદારી સ્વીકારે છે, એમ કહે છે કે તેણે શનિવારે 12 હુમલા કર્યા હતા. તેણે યુદ્ધની શરૂઆતથી ફ્લેક અને કટ્યુષા રોકેટનો ઉપયોગ કરીને સેંકડો હુમલાઓનો દાવો કર્યો છે. જેમાંથી કેટલાક ગોલાન હાઇટ્સમાં લશ્કરી મુખ્ય મથકને નિશાન બનાવ્યા છે.

સુત્રો અનુસાર એક અનામી અમેરિકી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે ઈઝરાયેલની રોકેટ વિરોધી ઈન્ટરસેપ્ટર અસ્ત્ર ફૂટબોલ પિચ પર પડી હતી. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકને પણ કહ્યું છે કે તે સ્પષ્ટ છે કે રોકેટ હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ હતો.

આ પણ વાંચો: સ્પેસ સ્ટેશનમાં Olympics 2024ની ઉજવણી, NASAએ શેર કર્યો વીડિયો; મશાલ સાથે જોવા મળ્યા સુનીતા

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે
ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ઝડપી હવાઈ હુમલા શરૂ કર્યા છે. પરંતુ વિશ્લેષકો અને અધિકારીઓ ચેતવણી આપે છે કે કોઈપણ ખોટી ગણતરી યુદ્ધને વેગ આપી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપીય સંઘે આ હુમલાઓને ધ્યાનમાં રાખીને સંયમ રાખવાની અપીલ કરી છે. લેબનીઝ સરકાર જે સામાન્ય રીતે ઈઝરાયલ અથવા કબજા હેઠળના ગોલાન પરના હુમલાઓ પર ટિપ્પણી કરવાનું ટાળે છે. તેણે એક નિવેદનમાં નાગરિકો પરના હુમલાની નિંદા કરી.

ઈરાન પાછળ નહીં રહે
આ બધા વચ્ચે ઈરાને ઈઝરાયલને સમજી વિચારીને પગલાં ભરવાની ચેતવણી આપી છે. જ્યારે મજદલ શમ્સની ઘટનાને ઈરાને બનાવટી વાર્તા ગણાવી છે. ઈરાનનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા 39,000થી વધુ પેલેસ્ટિનિયનો પરથી ધ્યાન હટાવવા માટે આ વાર્તા બનાવવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલની સૈન્ય પ્રતિક્રિયા આ પ્રદેશને વધુ અસ્થિર કરશે અને યુદ્ધને વેગ આપી શકે છે. “જો આવું થાય, તો ઝિઓનિસ્ટ શાસને આવા મૂર્ખ વર્તનના અણધાર્યા પરિણામો અને પ્રતિક્રિયાઓ માટે તૈયાર રહેવું જોઈએ.”

ગાઝામાં યુદ્ધ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા સંઘર્ષનું મૂળ કારણ છે. હિઝબુલ્લાહ સહિત ઈરાન સમર્થિત સભ્યોએ કહ્યું છે કે જો ઈઝરાયલ આ ક્ષેત્રમાં પેલેસ્ટાઈનીઓને મારવાનું બંધ કરે અને માનવતાવાદી સહાયની મંજૂરી આપે તો તેઓ તેના પર હુમલા બંધ કરશે.