September 17, 2024

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારથી સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

Jammu Kashmir: સોમવારે વહેલી સવારે જમ્મુ ક્ષેત્રના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોને આ વાતનો હવાલો મળતા જ તેઓએ ચાર્જ સંભાળ્યો અને ગોળીબાર કર્યો. આતંકીઓ તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોના ફાયરિંગમાં ત્રણ આતંકીઓ પણ ઠાર થયા છે. આ પછી તે પાકિસ્તાની ચોકી તરફ ભાગી ગયો હતો. આ પછી પાક આર્મી તેને હોસ્પિટલ લઈ ગઈ.

‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’એ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પૂંચના બટાલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેને જવાનોએ ફાયરિંગ કરીને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન લાન્સ નાઈક સુભાષ ચંદ્રાને ગોળી વાગી હતી અને તેઓ સારવાર હેઠળ હતા. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Delhiમાં ભારે વરસાદથી ભરાયા પાણી, હવામાન વિભાગે 2 દિવસ આપ્યું યલો એલર્ટ

ભારતીય સેનાએ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે
તાજેતરના મહિનાઓમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. તેને જોતા ભારતીય સેનાએ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. સેનાએ વિસ્તારોમાં 3-4 હજાર વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ ક્ષેત્રમાં હાલમાં 40 આતંકીઓ સક્રિય છે.

ગયા મહિને જમ્મુ ડિવિઝનમાં અનેક મોટા હુમલાઓ થયા હતા
આ આતંકીઓ રિયાસી, ડોડા, કઠુઆ, ભદરવાહ અને ઉધમપુરમાં છે. છેલ્લા મહિનામાં જમ્મુ ડિવિઝનમાં ઘણા મોટા આતંકી હુમલા થયા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ, ઉધમપુર અને ડોડામાં હુમલા કર્યા છે.

ગઈકાલે જમ્મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ લશ્કરી ચોકી અને ગ્રામ રક્ષા દળના સભ્યના ઘર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જવાનોને આ વાતનો હવાલો મળતા જ તેમણે ચાર્જ સંભાળી લીધો અને આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરી દીધું.