July 4, 2024

Gandhi-Ambedkarને સાથે કેમ જોવા માગે છે Jhanvi Kapoor?

Janhvi Kapoor Interview: જ્હાનવી કપૂર ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. જેના પ્રમોશનમાં બંને સ્ટાર્સ આ દિવસોમાં વ્યસ્ત છે. કલાકારો કોઈપણ ફિલ્મ પ્રમોશન દરમિયાન જ્યાં પણ જાય છે, તેઓ ઘણીવાર તેમની ફિલ્મ અથવા અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરતા હોય છે. આ વખતે જાહ્નવી કપૂરે જે પણ કહ્યું છે તે સાંભળનારાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. દલિત સમાજ, ગાંધી અને ભીમરાવ આંબેડકર જેવા મુદ્દાઓ પર જાહ્નવીએ જે કહ્યું તે સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જ્હાનવી કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મને લાગે છે કે આંબેડકર અને ગાંધી વચ્ચેની ચર્ચા જોવાની ખૂબ જ મજા આવશે.’ જ્હાનવીને પૂછવામાં આવ્યું કે જો તમારી પાસે ટાઈમ મશીન હોય તો તમે કયા સમયમાં જવાનું પસંદ કરશો? અભિનેત્રીએ કહ્યું- હું કહીશ, પરંતુ પછી તમે આનાથી સંબંધિત કોઈ વધુ પ્રશ્નો પૂછશો નહીં. જાન્હવીએ કહ્યું- મને ખબર નથી કે મારા શબ્દોનો દર્શકો સમક્ષ કેવી રીતે અનુવાદ થશે, પરંતુ આંબેડકર અને ગાંધી વચ્ચેની ચર્ચા જોવાની ખૂબ જ મજા આવશે.

આ પણ વાંચો: બ્રિટિશ હોસ્ટે Priyanka Chopdaનું કર્યું અપમાન, કહ્યું : ”ચિયાંકા’, ભડક્યા ફેન્સ’

ગાંધી અને આંબેડકરના વિચારો તદ્દન અલગ હતા – જ્હાનવી
જ્હાન્વી કપૂરે વધુમાં કહ્યું, ગાંધી અને આંબેડકરના વિચારો તદ્દન અલગ હતા. મને લાગે છે કે આંબેડકર શરૂઆતથી જ ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત હતા પરંતુ ગાંધીના વિચારો સતત વિકસિત થતા રહ્યા. આપણા સમાજમાં જાતિવાદની સમસ્યા વિશે ત્રીજી વ્યક્તિના દૃષ્ટિકોણથી માહિતી મેળવવી અને તેને જીવવામાં ઘણો તફાવત છે.

શાળા કે ઘરમાં આવું ક્યારેય બન્યું નથી.
જ્હાન્વીને એમ પણ પૂછવામાં આવ્યું કે તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે શું તમે ક્યારેય આ બધી બાબતો વિશે વાત કરી હતી? જ્હાન્વીએ કહ્યું- મારી શાળામાં કે મારા ઘરમાં ક્યારેય જાતિ વિશે કોઈ ચર્ચા થઈ નથી.

યુઝર્સ જ્હાન્વીને ‘બ્યુટી વિથ બ્રેઈન’ ગણાવી
જ્હાન્વી કપૂરને ગાંધી અને આંબેડકર જેવા ભારે મુદ્દાઓ પર વાત કરતી જોઈને હવે લોકો પણ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે જ્હાન્વી આ સ્તરે વાત કરશે. હવે યુઝર્સ જ્હાન્વીને ‘બ્યુટી વિથ બ્રેઈન’ કહી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી.