July 7, 2024

દાંડીના દરિયાકિનારે દુર્ઘટના, 6 લોકો ડૂબતા અફરાતફરી; 2નું રેસ્ક્યૂ, 4ની શોધખોળ ચાલુ

નવસારીઃ દાંડીના દરિયાકિનારે મોટી દુર્ઘટના બની છે. જેમાં એક જ પરિવારના 6 લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, દાંડીના દરિયાકિનારે રજાની મજા માણવા ગયેલા નવસારી પરિવારના 6 લોકો ડૂબ્યા છે. નવસારીના ખડસુપા ગામે રહેતા પરિવારો રવિવારની રજા માણવા દાંડી ગયા હતા. ત્યારે ડૂબેલામાંથી 2 લોકોને હોમ ગાર્ડ અને પોલીસે રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા. જ્યારે અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અનેક લોકોની દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ ગુમ થયેલા ચાર જેટલા લોકોની જલાલપોર પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.