પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક: સેનાએ 104 બંધકોને છોડાવ્યા; 16 વિદ્રોહી માર્યા ગયા, 30 સૈનિકોના મોત

Pakistan Train Hijack: પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસમાં પાકિસ્તાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં BLA દ્વારા ટ્રેનમાં બંધક બનાવેલા 104 મુસાફરોને બચાવ્યા અને 16 વિદ્રોહીઓને ઠાર માર્યા. અન્ય મુસાફરોને પણ મુક્ત કરાવવાની કામગીરી ચાલુ છે.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ટ્રેન હાઈજેક કરી છે. BLA અનુસાર, 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 30થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટ્રેન હાઇજેક કર્યા બાદ જારી કરાયેલા નિવેદનમાં BLAએ શાહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો પાકિસ્તાની સેના તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે તો તેઓ તમામ બંધકોને મારી નાખશે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી અને 214 પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવ્યા હતા. બંધકોમાં સેનાના જવાનો, અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. BLAએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના 30થી વધુ સૈનિકો માર્યા ગયા છે. હવે BLAએ પાકિસ્તાનની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

પાક સેનાએ 104 મુસાફરોને બચાવ્યા, 16 BLA લશ્કરો માર્યા ગયા
બલૂચ લિબરેશન આર્મી દ્વારા હાઈજેક કરાયેલી ટ્રેનમાંથી 104 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને 17 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે 16 BLA લશ્કરો માર્યા ગયા હતા. કુલ 104 મુસાફરોને બચાવી લેવાયા છે.