અમે હિન્દુઓથી અલગ…. ભારત વિરુદ્ધ પાકિસ્તનના મુલ્લા જનરલે ઓક્યું ઝેર

Pakistan: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે 3 થી 16 એપ્રિલ 2025 દરમિયાન ઇસ્લામાબાદમાં આયોજિત વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં તેમનો અંદાજ કોઈ જનરલ જેવી નહીં પણ એક કટ્ટર ધાર્મિક ઉપદેશક જેવી હતી. 16 એપ્રિલના તેમના ભાષણમાં, તેમણે ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર એવા નિવેદનો આપ્યા જે ફક્ત વિવાદાસ્પદ જ નહોતા પણ વિભાજનકારી અને નફરત ફેલાવનારા પણ હતા.
જનરલ મુનીરે કહ્યું કે આપણે જીવનના દરેક પાસામાં હિન્દુઓથી અલગ છીએ. આ નિવેદન મોહમ્મદ અલી ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનું એ જ જૂનું અર્થઘટન છે. જેમાં ધર્મને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો. જનરલ મુનીરે વધુમાં કહ્યું કે આપણો ધર્મ, રીતરિવાજો, પરંપરાઓ, વિચાર અને મહત્વાકાંક્ષાઓ અલગ છે. તેથી જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો.
Pakistan Army Chief General Asim Munir spews hate against #Hindus and propagates the #TwoNationTheory, which failed in 1971 when Bangladesh got independence from Pakistan. He asserts that children must be taught such "falsehoods" since it's easier to brainwash youth. Shameful! pic.twitter.com/vaVZhEK4v8
— Taha Siddiqui (@TahaSSiddiqui) April 16, 2025
વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને અપીલ
અસીમ મુનીરનું ભાષણ વિદેશી પાકિસ્તાનીઓ માટે ભાવનાત્મક અપીલ કરતાં આર્થિક ભીખ માંગતું વધુ લાગ્યું. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તમે પૈસા મોકલીને અને રોકાણ કરીને તમારા દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યા છો. ભૂલશો નહીં કે તમે એક શ્રેષ્ઠ વિચારધારા સાથે જોડાયેલા છો.
આ પણ વાંચો: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલિશન, દબાણો પર પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર
કલમના આધારે બે દેશોની રચના થઈ?
મુનીરે દાવો કર્યો હતો કે દુનિયામાં ફક્ત બે જ રાજ્યો છે જે અલ્લાહે કલમાના આધારે બનાવ્યા છે, એક મદીના અને બીજું પાકિસ્તાન. તેમણે કહ્યું કે અલ્લાહે 1300 વર્ષ પછી પાકિસ્તાન બનાવ્યું. પોતાના ભાષણના અંતે, મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી અને ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીની ટીકા કરી અને પેલેસ્ટિનિયનો માટે સમર્થન વ્યક્ત કર્યું.