Papua New Guineaમાં અત્યાર સુધીમાં 2000 મોત, આંતરરાષ્ટ્રીય મદદ માગી
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/05/Papua-Guinea-Landslide.jpg)
પાપુઆ ન્યુ ગિનીઃ શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં એક પહાડ પર થયેલા ભૂસ્ખલનમાં થયેલા મૃત્યુની સંખ્યાની સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે, આ દુર્ઘટનામાં 2000થી વધુ લોકો જીવતા દટાયા હતા. સરકારે કહ્યું કે, તેમણે રાહત પ્રયાસો માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માગી છે. રાજધાની પોર્ટ મોરેસ્બીથી 600 કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું.
આ પહેલા ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ પાપુઆ ન્યુ ગીનીમાં 670 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. સરકારના આંકડા સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીના આંકડા કરતા લગભગ ત્રણ ગણા છે. ભૂસ્ખલનથી 2000થી વધુ લોકો જીવતા દટાઈ ગયા અને મહાવિનાશ થયો હતો. નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યકારી નિર્દેશકે યુએનને લખેલા પત્રમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પોપ ફ્રાન્સિસે સમલૈંગિકો લોકો માટે અપમાનજનક શબ્દ કહ્યા હોવાનો દાવો
વિદેશ મંત્રી જયશંકરે પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. જયશંકરે સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પોસ્ટમાં લખ્યુ હતુ કે, અમારી સંવેદના સરકાર અને લોકો સાથે છે. ભારત આ મુશ્કેલીના સમયમાં મિત્રો સાથે એકતામાં ઊભું છે. જયશંકરે કહ્યુ કે, ભૂસ્ખલનથી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.