September 12, 2024

Mona Lisa: વર્લ્ડ ફેમસ ‘મોનાલિસા’ તસવીરની ચોરી, કારણ જાણી લોકો ચોંકી ગયા

Mona Lisa Painting: તમે વિશ્વની સૌથી પ્રખ્યાત પેઈન્ટિંગ ‘મોના લિસા’ વિશે તો સાંભળ્યું જ હશે. મોનાલિસાની આ પેઇન્ટિંગને દુનિયાની સૌથી અદભૂત પેઈન્ટિંગનો ખિતાબ મળ્યો છે. મોનાલિસા એ વિશ્વ વિખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીનું વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર છે. હળવા સ્મિત સાથે વિચારમાં ઉંડી ઉતરેલી આ એક મહિલાની તસવીર છે. આ વિશ્વની સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ છે જેને પેઇન્ટિંગ અને વિઝ્યુઅલ આર્ટનો પર્યાય માનવામાં આવે છે. પરંતુ આ પેઈન્ટિંગને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેણે જણાવ્યું છે કે આ પેઈન્ટિંગ આટલું મૂલ્યવાન અને પ્રખ્યાત બનવાનું કારણ શું હતું. અમે તમને એ કારણ જણાવી રહ્યા છીએ.

3 ચોરો વિશ્વ વિખ્યાત તસવીર ચોરી ગયા
ખરેખરમાં 21 ઓગસ્ટ, 1911 ના રોજ પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં ત્રણ ચોર ભારે ધાબળાની પરતની નીચે સંગ્રહાલયમાંથી કંઈક લઈ જતા જોવા મળ્યા હતા. પરંતુ તેઓ મ્યુઝિયમમાંથી શું ચોરી કરે છે તેનો જવાબ કોઈની પાસે નહોતો. પરંતુ જ્યારે તપાસમાં એ વાત સામે આવી તો બધા ચોંકી ગયા. ખરેખરમાં આ ચોરોએ વિશ્વ વિખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીની મોનાલિસા પેઈન્ટિંગની ચોરી કરી હતી. ચોરી થયા બાદ આ તસવીર 2 વર્ષ બાદ મળી હતી અને ત્યારે જ ખબર પડી હતી કે ચોરોએ આ તસવીર શા માટે ચોરી કરી હતી.

વિન્સીએ આ ચિત્ર કેમ બનાવ્યું?
તમને જણાવી દઈએ કે લિયોનાર્ડો દા વિન્સી એક ઓલરાઉન્ડર વ્યક્તિત્વ હતા, તે એક ચિત્રકાર હોવા ઉપરાંત ડ્રાફ્ટ્સમેન, એન્જિનિયર, વૈજ્ઞાનિક, સિદ્ધાંતકાર, શિલ્પકાર અને આર્કિટેક્ટ પણ હતા. લિયોનાર્ડો દા વિન્સીએ ઇટાલિયન ઉમરાવ ફ્રાન્સેસ્કો ડેલ જિયોકોન્ડો માટે મોના લિસા બનાવવાનું શરૂ કર્યું. લેખક અને ઈતિહાસકાર જેમ્સ સુગના જણાવ્યા અનુસાર, આ તેની પત્ની લિસા ડેલ જિયોકોન્ડો હતી. આ પેઇન્ટિંગ ફ્રાન્સેસ્કો ડેલ જિયોકોન્ડો દ્વારા તેમના નવા ઘર માટે અને તેમના બીજા પુત્રના જન્મ પહેલાં બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પરંતુ તે પછી તે તેના સુધી પહોંચી નહી અને તેને સંગ્રહાલયમાં લગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિન્સીના મૃત્યુ પછી તે ફ્રાન્સના રાજા પાસે રહી અને 1797 થી તેને લૂવ્ર મ્યુઝિયમમાં સામેલ કરવામાં આવી. નવાઈની વાત તો એ છે કે દાયકાઓ સુધી વિવેચકોએ પણ આ ચિત્રને એટલું મહત્વ આપ્યું ન હતું જેટલું તેને મળવાનું હતું. પરંતુ 21મી ઓગસ્ટ એ તારીખ હતી જેણે મોનાલિસાને તેનું સ્થાન આપ્યું હતું. ઈતિહાસકાર સુગ (વિદેશી મેગેઝિનમાં પ્રકાશિત લેખ) અનુસાર, ત્યાં સુધી મોનાલિસાનું પ્રખ્યાત પેઈન્ટિંગ પણ ગેલેરીમાં નહોતું.

મ્યુઝિયમના કર્મચારીએ પોતે જ આ તસવીર ચોરી લીધી હતી
ડોરોથી અને ટોમ હુબલરે તેમના પુસ્તક, ધ ક્રાઈમ્સ ઓફ પેરિસ (2009) માં પેઇન્ટિંગની ચોરી વિશે લખ્યું હતું. તેઓ કહે છે કે 28 કલાક વીતી ગયા ત્યાં સુધી કોઈને ચાર ખાલી હૂક નજર ના આવ્યા. ચિત્રકારને ગેલેરીનો એક ભાગ રંગવાનો હતો. “તેને લાગ્યું કે જ્યાં સુધી ‘મોના લિસા’ ન હોય ત્યાં સુધી તે કામ કરી શકશે નહીં,” ટોમ હુબલર કહે છે. તેણે ગાર્ડને ઉપરની ગેલેરીમાં મોકલ્યા. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે દિવાલ ખાલી છે. જ્યારે પેઈન્ટીંગની ચોરી થતા ખળભળાટ મચી ગયો હતો. પછી તેને અખબારના લેખોમાં માસ્ટરપીસનું બિરુદ મળ્યું. લખવામાં આવ્યું હતું કે અત્યાર સુધીના ઈતિહાસની સૌથી મોટી ચોરી. એક અઠવાડિયા સુધી મ્યુઝિયમ બંધ રહ્યું. જ્યારે તે ખુલ્યું, ત્યારે ખાલી હૂક જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

ચોરી કેમ થઈ?
પહેલા ચોરીની શંકા પાબ્લો પિકાસો પર પડી. ઘણી પૂછપરછ થઈ પણ પછી તેને છોડી મુકવામાં આવ્યો. હકીકતમાં મ્યુઝિયમમાં ફ્રેમ બનાવનાર વ્યક્તિ પોતે જ ચોરીમાં સામેલ હતો. નામ હતું વિન્સેન્ઝો પેરુગિયા. જે ચોરીના આગલા દિવસે પોતાનું કામ પૂરું કર્યા પછી બહાર ન આવ્યો પણ તેના અન્ય બે સાથીઓ (બંને ભાઈઓ – વિન્સેન્ઝો અને મિશેલ લાન્સલોટી) સાથે આર્ટ ગેલેરીના એક કબાટમાં સંતાઈ ગયો. આખી રાત ત્યાં રહ્યા બાદ સવારે તેણે તેના સાગરિતો સાથે આ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે 28 મહિના પછી તે પકડાયો ત્યારે વિન્સેન્ઝો પેરુગિયાએ કહ્યું કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તેને તેના યોગ્ય માલિકને સોંપવાનો હતો. તેમના મતે તે ઈટાલીનો વારસો હતો અને તેની સાથે જ રહેવો જોઈતો હતો. આ રીતે ચોરાયેલી મોનાલિસા લિયોનાર્ડો દા વિન્સીની શ્રેષ્ઠ આર્ટવર્ક સાબિત થઈ. એક માસ્ટરપીસ જેનું ઉદાહરણ સમગ્ર વિશ્વ સેટ કરે છે.