July 4, 2024

‘મોદીરાજ’: રાજ ઠાકરે આજે શિવાજી પાર્કમાં કરશે ગર્જના , PM મોદી સાથે શેર કરશે સ્ટેજ

PM Modi Rally in Shivaji Park: મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના શાસક સાથી પક્ષોને બિનશરતી સમર્થન આપ્યા પછી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શિવાજી પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કરશે. મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલે બુધવારે રાજ ઠાકરેને રેલી માટે ઔપચારિક આમંત્રણ આપવા અને એજન્ડા પર ચર્ચા કરવા માટે દાદરમાં રાજ ઠાકરેના ઘરે ગયા હતા. બંનેની મીટિંગ બાદ બાવનકુલેએ પુષ્ટિ કરી કે ઠાકરે રેલીનો ભાગ બનશે અને તેમનું ભાષણ આપશે.

આ પણ વાંચો:  ‘કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને રાતોરાત OBC બનાવી દીધા’, PM મોદીનો આરોપ

જાન્યુઆરી 2006માં તેમની પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી ભાજપના અગ્રણી નેતાઓ સાથે રાજ ઠાકરેની આ પ્રથમ રેલી હશે. જો કે, તેમણે છેલ્લા બે અઠવાડિયામાં મહાયુતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી ત્રણ રેલીઓને સંબોધિત કરી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા બાદ આ તેમની પહેલી રેલી હશે.

બીજેપીના એક નેતાએ કહ્યું કે, રાજ ઠાકરેએ પહેલા જ મોદીની સાથે રેલીને સંબોધિત કરવામાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી દીધી છે. વાસ્તવમાં, શિવાજી પાર્ક મેદાનની પરવાનગી MNS દ્વારા લેવામાં આવી હતી અને તે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે રાજ ઠાકરે સ્ટેજ શેર કરશે. રેલી દરમિયાન, બંનેએ MNSની ભૂમિકા અને મરાઠી ભાષી મતદારોને શાસક ગઠબંધન તરફ આકર્ષવાના એજન્ડા અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો: Covaxin આડઅસરના મામલે Covishieldનો બાપ નીકળી, દર 3 માંથી 1 વ્યક્તિ બીમાર

મુંબઈનું શિવાજી મેદાન ખૂબ જ ઐતિહાસિક છે. આ મેદાન પરથી અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના ભાષણો આપ્યા છે. નોંધનીય છે કે, રાજ ઠાકરેની પાર્ટી MNS મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડી રહી નથી, પરંતુ તેમણે કહ્યું છે કે MNS ભાજપને સમર્થન આપશે. મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં ભાજપ 48માંથી 28 સીટો પર ચૂંટણી લડી રહી છે.