ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે ટ્વીટ કરીને આ મોટી માંગ કરી

Rajkot News: ગોંડલના યુવકના શંકાસ્પદ મોતનો મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે ટ્વીટ કર્યું છે. સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે. આ ઘટનાને જાંટ સમાજ સહન નહીં કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટના સંસદમાં ઉઠાવવામાં આવશે તેવો દાવો કર્યો છે. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગ્રીતો હત્યાકાંડમાં શામેલ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ પાંચ ક્ષણ જેને કોઈ વર્ષો સુધી ભૂલી શકશે નહીં

રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે શું ટ્વીટ કર્યું
હું પ્રધાનમંત્રી શ્રી @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @Amit Shah, ગુજરાતના રાજ્યપાલ મહામહિમ @ADevvrat જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpનું ધ્યાન ગુજરાતના રાજકોટના ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ દોરું છું . આ કેસમાં CBI તપાસની માંગ કરું છું. કારણ કે આ હત્યા કેસમાં એક મજબૂત ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ કટોકટીમાં આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે. હું ગુજરાત પોલીસના @dgpgujarat ને કહેવા માંગુ છું કે ગુજરાત પોલીસે આ પરિવાર પર અનૈતિક દબાણ ન નાખવું જોઈએ. આ હત્યા કેસમાં તાત્કાલિક FIR નોંધવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ગુજરાતમાં જાટ સમુદાયના યુવકની હત્યાની તાત્કાલિક નોંધ લેશે.