July 2, 2024

Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલો મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં વેલ્ડિંગનું કામકાજ ચાલુ હતુ. ગેમઝોનમાં આશરે 2000 લીટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ત્યારે રેસિંગ અને ગો કાર પેટ્રોલના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ત્યારે પ્લાસ્ટિક અને સુશોભન માટે રાખેલા ટાયરોમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગના કારણે આગ લાગી હતી તેવું સામે આવ્યું છે. ત્યારબાદ પેટ્રોલનો જથ્થો બ્લાસ્ટ થયો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખુલાસો થયો હતો કે, ક્ષમતા કરતાં વધુ લોકોને ગેમઝોનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કિર્તિરાજસિંહ રાયજાદાની માલિકની જગ્યા પર યુવરાજસિંહ સોલંકી ગેમઝોન ચલાવતો હતો. આગ લાગતા માલિક અને સંચાલકો રફુચક્કર થયા હતા.

આ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતો પુલ, હરણી બોટકાંડ અને હવે… આ ચાર દુર્ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે!

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શી જણાવે છે કે, ‘ગોંડલના અમે ત્રણ મિત્રો અહીં ગેમ રમવા માટે આવ્યા હતા. પહેલા માળે અમે લોકો બોલિંગ રમી રહ્યા હતા. ત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી બૂમો પડી કે, આગ લાગી છે ભાગો. અમે આમ તેમ જોયું પણ એક્ઝિટ ગેટ ક્યાં હતો તે કોઈને ખબર નહોતી. ત્યારે અમે લોકો એન્ટ્રી તરફ ગયા પણ ત્યાં સુધી તો આગ ફેલાઈ ગઈ હતી. ત્યારે પહેલા માળેથી અમે સાહસ કરી કૂદકો માર્યો અને જીવ બચાવ્યો. ત્યાં ઘણા બાળકો પણ હાજર હતા. બાળકોને બચાવવા માટે ઉપરથી એક ભાઈ રેલિંગ પર ઉભા રહીને બાળકોના ઘા કરતા હતા અને નીચે અમે બાળકોને પકડતા હતા આમ અમે પાંચેક બાળકોને બચાવ્યા હતા.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં 5 બાળકને બચાવનારા પ્રત્યક્ષદર્શીએ કહ્યું – પહેલા માળેથી…

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.