July 2, 2024

Rajkot અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યૂટી એન્જિનિયર સહિત બે સિનિયર PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ SIT સિનિયર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે SITની તપાસ પર નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકાર તપાસમાં કોઈ કચાસ રાખવા માગતી નથી. આ સમગ્ર મામલે ઉદાહરણરુપ કાર્યવાહી કરી દાખલો બેસાડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ ગેમઝોનમાં નોકરી કરતા અનિલ સિદ્ધપુરાનો DNA મેચ, પરિવારજનોને મૃતદેહ સોંપાયો

કયા કયા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા?

  • નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા
  • આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી
  • PI વીઆર પટેલ
  • PI એનઆઇ રાઠોડ
  • આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી
  • અન્ય એક અધિકારી

આ પણ વાંચોઃ ગેમઝોનમાં નોકરી કરતા જીગ્નેશ ગઢવીનો DNA મેચ, પાંચ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈનું મોત

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.