September 21, 2024

છત્તીસગઢમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 3 કોચના કાચ તૂટ્યા; કાઉન્સિલરના ભાઈ સહિત 5ની ધરપકડ

Chhattisgarh: છત્તીસગઢના મહાસમુંદમાં બાગબહરા રેલ્વે સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. પથ્થરમારાના કારણે ટ્રેનના ત્રણ કોચના કાચ તૂટી ગયા હતા. રેલવે પોલીસે આ ઘટના સંદર્ભે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ નોંધ્યો છે અને 5 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક આરોપીનો ભાઈ કાઉન્સિલર છે.

મળતી માહિતી અનુસાર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન ચાલી રહી હતી જે 16મીથી દોડવાની છે. આ દરમિયાન કેટલાક લોકોએ બગબહરા પાસે ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ટ્રેન C2-10, C4-1, C9-78ના ત્રણ કોચના કાચ તૂટી ગયા હતા. ટ્રેનમાં હાજર અમારી સશસ્ત્ર સહાયક પાર્ટીએ આ અંગે માહિતી આપી હતી. આ પછી તરત જ રેલવે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે ગઈ અને 5 આરોપીઓની ધરપકડ કરી. પાંચેય આરોપીઓ બગબહરાના રહેવાસી છે. આરોપીઓની ઓળખ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ તરીકે કરવામાં આવી છે. આરપીએફ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે શિવ કુમાર બઘેલ નામનો ભાઈ કાઉન્સિલર છે.

અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા શહેરોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચુકી છે. થોડા દિવસો પહેલા લખનૌથી પટના જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં વારાણસી નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એક ઘટના બની હતી.

આ પણ વાંચો: લદ્દાખ સીમા પર કેવી છે સ્થિતિ, જયશંકરના નિવેદન પર ચીને આપ્યો જવાબ

જુલાઈ મહિનામાં અરાજકતાવાદીઓએ ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ કોચની અનેક બારીના કાચ તૂટી ગયા હતા. ટ્રેન પર અચાનક પથ્થરમારો થતાં કોચની અંદર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.