September 19, 2024

સુરત પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા ‘સાયબર સંજીવની 3.0’નો શુભારંભ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા આયોજીત “સાયબર સંજીવની 3.0” અભિયાનની કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિયાનની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે ન્યુડ કોલના ભોગ બનેલા લોકોએ સામાજિક બદનામીના ડર રાખ્યા વિના નીડરતા પૂર્વક આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, લોકોમાં જનજાગૃતિ આવી હોવા છતાં આ પ્રકારના કિસ્સાઓ અને બનાવો બનવા તે કમનસીબી છે.

રાજ્યભરમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના ગુનાઓમાં સૌથી વધારો થયો છે. આ ગુનાઓને અટકાવવા માટે સુરત સાયબર ક્રાઇમ સેલ અનેક અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓડિયો વીડિયો અને નાટ્ય રૂપાંતર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મહદંશે આવા ગુનાઓને અટકાવવા માટે સાયબર ક્રાઇમ સેલ અને સુરક્ષા સેતુ ને સફળતા મળી છે. સાબર ક્રાઇમના ગુના આચરતી અનેક ટોળકીને શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જ્યાં સાઇબર ક્રાઇમના ગુનાઓનો ભોગ અન્ય લોકો ન બને તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની 3.O અભિયાનની શરૂવાત કરવામાં આવી છે. જે અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દીપિકા-રણવીરના ઘરે લક્ષ્મી અવતર્યા, અભિનેત્રીએ દીકરીને આપ્યો જન્મ

આ પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સાયબર ક્રાઈમને આપણે સૌ લોકો ફાઇનાન્સિયલ ક્રાઈમની નજરે જોતા હોઈએ છે. આ માત્ર ફાયનાંસિયલ ક્રાઈમ નથી, પરંતુ સોશિયલ ક્રાઈમ પણ છે. જેની અસર વધારે સોશિયલ રીતે પડતી હોય છે. જેના કારણે અનેક મહિલાઓ, દીકરીઓ અને પરિવારોની જીવન ધુંધલું થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઈમ થતા હોય છે. સાયબર ટેરેરીઝમ પણ સૌથી મોટું ક્રાઈમ છે. આ સૌથી મોટો ભાગ છે, જેના પર આપની સૌ નજર રાખવી જરૂરી છે. ફેક આઇડી પરથી આવતા કટ્ટરતાવાળા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ. જેના કારણે ક્યારેય આપણે પણ સજાનો ભોગ બનવું પડે છે. માત્ર એવું નથી સાયબર ક્રાઈમ કરનારા ગુજરાત કે અથવા વિદેશના હોય શકે, પરંતુ વિદેશી તાકાતો પણ આ બાબતે ક્રાઈમ કરતી હોય છે. બીજા લોકો આમાં ન ફસાય તે માટે લોકલ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી છે. પરંતુ નાગરિકોની પણ તેટલી જ જવાબદારી છે. સાયબર ટરેરીઝમ અને સાયબર ફેક પરફેક્ષ્ણ સમજવી જરૂરી છે. જ્યારે આપણે તકલીફ માં હોય ત્યારે આપના સગા સબંધી પણ ઉભા રહેતા નથી. જ્યાં સામાન્ય રીતે કોઈ લોન કેવી રીતે આપી શકે? સોશિયલ મીડિયાના માધ્યમથી એક રૂપિયાનો એક દિવસમાં બે રૂપિયા નહિ થઈ જાય. ગુપ્ત માહિતી કોઈ પણ કંપનીને આપવી નહી. જે માહિતી અમોને મળી છે તે ચોંકાવનારી છે.

વધુમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનનાર લોકો વધુ છે. જે વ્યક્તિ ભણેલા છે તે વ્યક્તિ ભોગ નથી બનતા એવું નથી. સવાયા લોકો પણ ભોગ બને છે.સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ લોકો સુધી વધુ ઝડપી પહોંચી રહી છે તે બદલ સુરત પોલીસને હું અભિનંદન પાઠવું છું. સિવિલ હોસ્પિટલનું તબીબી એક દંપતી પગાર સિવાય કંઈ કર્યું નથી, તે દંપતીએ બે કરોડથી વધુની રકમ ગુમાવી છે. ખોટી પોલીસના બદલે સાચી પોલીસ બોલાવે તો પણ ડરવાની જરૂર નથી. જે વ્યક્તિ સાચો છે અને સાચી વાત મૂકતા તેને ડર લાગે તે પણ ખોટું છે. સાયબર ક્રાઇમની કોઈ જાદુઈ છળી પોલીસ પાસે નથી. ઘટના બની અને ત્વરિત 1930 પર કોલ નહીં કરો અને મહિના બાદ સંપર્ક કરો તો ગયેલા રૂપિયા લાવવા લોઢા ના ચણા ચાવવા બરાબર છે. લોકો જો જાગૃત ન થાય તો પોલીસ સાયબર ક્રાઇમના ગુના ઉકેલવામાં સફળ નહિ થાય. બે-બે મહિના સુધી તમે પોલીસ પાસે નહીં આવો તો રૂપિયા કેવી રીતે મળશે. મારી સૌને અપીલ છે કે સાયબર ક્રાઈમ અંગે ગંભીરતાપૂર્વક આપને કામ કરીશું તો સફળ થઈશું. આ પ્રકારના ફ્રોડ માં બે લાખ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 2.30 લાખ એકાઉન્ટ વેપારીઓના રિલીઝ કરવામાં આવ્યા, જે એકાઉન્ટ રિલીઝ કરાવવામાં સફળતા મળી છે. આવનારા દિવસોમાં તમામ રાજ્યોમાં આ પ્રકારે કામગીરી કરવા માહિતી આપવામાં આવી છે. સોશિયલ ક્રાઈમ પણ મોટું છે.

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ન્યૂડ કોલ કોઈ પણ વ્યક્તિ પર આવી જાય તો ડરવાની બિલકુલ જરૂર નથી. જે રૂપિયા તમે આપો છો તે રૂપિયાના કારણે બીજા લોકો પણ ભોગ બને છે. સમાજમાં આ પ્રકારનો ભોગ બનેલા લોકોની સંખ્યા મોટી છે. સમાજમાં નીડરતાથી પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવવું જોઈએ.આખા ગામને શિખામણ આપવા તૈયાર છો પરંતુ પોતે ફરિયાદ કરવા આગળ આવતા નથી.જાગૃતતા લોકોએ જાતે લાવવાની જરૂર છે.દરરોજ ભણેલા ગણેલા લોકો એકના બે કરવામાં છેતરપિંડી નો ભોગ બને છે,આવો તો કેવો લોભ ?

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈ જણાવ્યું હતું કે,હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે.જે દરમ્યાન જાગૃતિ લાવવાનો આ એક અનેરો પ્રયાસ કરવો જોઈએ.ગણેશ પંડાલ સુધી આ માહિતી પોહચાડવા પોલીસ સ્ટેશનોએ કામગીરી કરવી જોઈએ.જે માટે મારી ખાસ સૂચના છે.વધુમાં પોલીસ સ્ટેશનો ને એક વિનંતી છે કે હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે,ત્યારે કોઈ ગણેશ પંડાલમાં અડધો કલાક આમતેમ થાય તો ચલાવી લેજો.લોકોને પણ વિનંતી છે કે ડી જે ધીમેથી વગાડે,જેથી કોઈને ખલેલ ના પોહચે. મંડપ,ડીજે સહિતના લોકોનો વેપાર ગણપતિ ના તહેવાર દસ દિવસ દરમ્યાન જ થઈ જાય છે.લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવી શકે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તેવી શહેર પોલીસને મારી સૂચના છે.