February 13, 2025

સુરેન્દ્રનગરમાં સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા છે પણ રજીસ્ટ્રેશન માટે પોર્ટલ જ બંધ

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું 54 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા છે પણ રજીસ્ટ્રેશન માટે પોર્ટલ ખોલવામાં નથી આવી રહ્યું અને ક્યારેક ખરીદી થશે તે પણ નક્કી નથી. જેને લઇ ખેડૂતોની પોર્ટલ ચાલુ કરી રજીસ્ટ્રેશન કરાવવામાં આવે અને ખરીદીની તારીખ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: IPL 2025: રજત પાટીદારને કોહલીનો ‘વિરાટ’ સંદેશ, કહી આ વાત

ટેકાના ભાવે જાહેર કરી દેવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાક ઘઉં જીરુ વરિયાળી અને ચણાનું 2,66,44 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે. જેમાં ખાસ કરીને ચણાનું 54,348 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે 25,800 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું. જ્યારે ગત વર્ષે પ્રતિમણ રૂપિયા 1100 ભાવ હતો ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 1300 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે. ત્યારે સરકારે ટેકાના ભાવ 5650 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ચણાનું વાવેતર ડબલ થયું છે. ત્યારે જિલ્લાના ખેડૂતોએ ચણાના પાકનું ઉત્પાદન થઈ ગયું છે અને ખેડૂતો પોતાના ઘરે લાવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રજીસ્ટ્રેશનનું પોર્ટલ ખુલ્યું નથી અને ખરીદીની તારીખ પણ નક્કી નથી થઈ પરંતુ ટેકાના ભાવે જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે રજીસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા અને ખરીદીની તારીખ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે