September 18, 2024

ભૂગર્ભમાં રહેતા હતા આતંકવાદીઓ, સુરક્ષા દળોએ શોધી કાઢ્યું અંડરગ્રાઉન્ડ ઠેકાણું

Terrorist Underground hideout: સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એક ભૂગર્ભ આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદી જિલ્લાના દારહાલ વિસ્તારના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આ ઠેકાણાંની શોધ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ જણાવ્યું કે આતંકવાદીઓના ભૂગર્ભ છુપાયેલા ઠેકાણામાંથી રાંધણગેસ, ધાબળા અને વાસણો સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો છે.

આ સિવાય સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી ઓપરેશનના ભાગરૂપે ઉધમપુર જિલ્લાના બસંતગઢના બલોથા વિસ્તારમાં એક ગુફાવાળું છુપાવાનું સ્થળ પણ શોધી કાઢ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી કારણ કે છુપાયેલા આતંકવાદીઓ સર્ચ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ નાસી છૂટવામાં સફળ થયા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન ઉધમપુર જિલ્લાના બસંતગઢના બલોથા વિસ્તારમાં ગુફા જેવા છુપાવવાનો સ્થળનો પણ પર્દાફાશ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે ત્યજી દેવાયેલા ઠેકાણામાંથી કેટલીક ખાદ્ય સામગ્રીઓ મળી આવી છે. સોમવારે બસંતગઢમાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું હતું, જેમાં અર્ધલશ્કરી દળના ઇન્સ્પેક્ટર-રેન્કના અધિકારીનું મોત થયું હતું.

આતંકવાદીઓના આ ઠેકાણાનો પર્દાફાશ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અર્ધલશ્કરી દળના એક ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી અહીં એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તાજેતરના મૃત્યુથી આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 74 થઈ ગઈ છે. જેમાં 21 સુરક્ષા જવાનો અને 35 આતંકવાદીઓ સામેલ છે. તેમાંથી, 30 મૃત્યુ જમ્મુ ક્ષેત્રના છ જિલ્લાઓમાં થયા – ડોડા, કઠુઆ, રિયાસી, પૂંચ અને રાજૌરી, જેમાં 14 સુરક્ષા કર્મચારીઓ અને છ આતંકવાદીઓનો સમાવેશ થાય છે.