અમેરિકાથી ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચ્યું, 112 લોકોને પરત મોકલાયા
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/1024-682-NEW.jpg)
Amritsar Airport: અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો ત્રીજો ગૃપ અમૃતસર પહોંચ્યો છે, જેમાં કુલ 112 લોકો છે. વિમાન રવિવારે (16 ફેબ્રુઆરી, 2025) એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 112 લોકોમાંથી 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે.
#WATCH | Punjab: Aircraft carrying the third batch of illegal Indian immigrants lands in Amritsar as it arrives from the US. pic.twitter.com/siuyMUTbMP
— ANI (@ANI) February 16, 2025
અમેરિકાથી 116 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને બીજી ફ્લાઇટ શનિવારે (15 ફેબ્રુઆરી, 2025) અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તપાસ બાદ રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે પંજાબના લોકોને પોલીસ વાહનોમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. હરિયાણા સરકારે રાજ્યમાંથી દેશનિકાલ કરાયેલા લોકો માટે પરિવહનની વ્યવસ્થા પણ કરી હતી.
અમેરિકાથી મોકલવામાં આવેલા બીજા બેચમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 1-1 લોકોનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર ત્રણ ડિપોર્ટીઓએ દાવો કર્યો હતો કે મુસાફરી દરમિયાન તેમને હાથકડી લગાવવામાં આવી હતી અને તેમના પગમાં સાંકળો બાંધવામાં આવી હતી.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો પહેલો ગૃપ 5 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. જેમાં 104 ભારતીયો સવાર હતા, જેમાંથી મોટાભાગના પંજાબના હતા.