September 24, 2024

બદનામ કરવાની કોશિશ… મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રસાદમાં ઉંદરના બચ્ચાના વીડિયો ટ્ર્સ્ટે આપી પ્રતિક્રિયા

Mumbai: મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા જોવા મળી રહ્યા છે. જે બાદ સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. મામલો વધ્યા બાદ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે. પરંતુ વીડિયો જોયા બાદ એવું નથી લાગતું કે મંદિરની અંદરના આ વીડિયો વિઝ્યુઅલ છે.

મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ કોઈ અન્ય જગ્યાએથી વિઝ્યુઅલ હોઈ શકે છે અને ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે. વીડિયોમાં સ્થળ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ મામલે ટ્રસ્ટ આજે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ સદા સરવંકરે કહ્યું કે મીડિયામાં જે જગ્યા બતાવવામાં આવી છે તે મંદિર સંકુલનો ભાગ નથી. મંદિરમાં લાડુ બનાવવા માટે 25 કર્મચારીઓ છે, જેઓ ચોવીસ કલાક પાળીમાં કામ કરે છે.

તેમણે કહ્યું, ‘આવી અસ્વચ્છ સ્થિતિની કોઈ શક્યતા નથી. જ્યારે તિરુપતિ મંદિરમાં સમાન ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી. ત્યારે અમારા પરિસરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું હતું કે તમામ સલામતી અને સ્વચ્છતા પ્રોટોકોલને અનુસરીને સ્વચ્છતા અત્યંત કાળજી સાથે જાળવવામાં આવી હતી. અમે સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે મહત્તમ કાળજી લઈએ છીએ, ખાસ કરીને પ્રસાદ વિભાગમાં કાળજી રાખીએ છીએ.

આ પણ વાંચો: સુરત: નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવતા ખળભળાટ

પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ – મંદિર ટ્રસ્ટ
સદા સર્વંકરે કહ્યું, ‘આ અમારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ હોવાનું જણાય છે, ખાસ કરીને મંદિરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટની જાહેરાત પછી. મંદિર તેના પ્રસાદમાં પ્રીમિયમ ઘી સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે. પાણીથી લઈને કાચા માલ સુધીના દરેક તત્વનું પ્રયોગશાળામાં ઉપયોગ કરતા પહેલા પરીક્ષણ કરવામાં આવે છે. ત્રણ સરકારી અધિકારીઓ કડક ધોરણો જાળવવા કામગીરી પર નજર રાખે છે.’ ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયોમાં મહાપ્રસાદના લાડુના પેકેટમાં ઉંદર જોવા મળે છે. તે જ સમયે, ઉંદરોના ઘણા પેકેટો કતરેલા જોવા મળ્યા છે.