September 17, 2024

માઈગ્રેનના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે આ 5 ઘરેલું ઉપાય

Migraine: માઈગ્રેન સામાન્ય સમસ્યા છે. જે ભાગદોડ, બ્લડપ્રેશર, સ્ટ્રેસ, ગેસ વગેરેને કારણે થઈ શકે છે. પરંતુ જો માથાનો દુખાવો ચાલુ રહે તો તે માઈગ્રેન પણ હોઈ શકે છે. માઈગ્રેનના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે અમે તમને 5 ઘરેલું ઉપાય જણાવીશું.

ગાયનું ઘી
માઈગ્રેનના દુખાવામાં રાહત માટે ગાયનું ઘી ખૂબ જ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે. કારણ કે ગાયનું ઘી વધારાના પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો તમને માઈગ્રેનનો દુખાવો હોય તો તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. જેને તમે યનું ઘી રોટલી, ભાત કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો. આ સિવાય તમે તમારા માથા પર પણ ઘી લગાવી શકો છો. તમે ઘીના બે ટીપા નાકમાં નાખશો તો પણ તેનાથી તમને રાહત મળશે.

તજ
તજ માઈગ્રેનનો દુખાવો ઘટાડવા માટે થઈ શકે છે. આ માટે બે ચમચી તજ પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા કપાળ પર 20 થી 25 મિનિટ સુધી લગાવો. આ પેસ્ટ લગાવવાથી તમને માઈગ્રેનના દુખાવામાં તમને તરત રાહત મળી જશે.

આ પણ વાંચો: કેન્સર બની શકે છે તમારા જીવનનો દુશ્મન, તેનાથી બચવા રોજ ખાઓ આ ખોરાક

લીંબુની છાલ
માઈગ્રેનનો દુખાવો ઓછો કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલને ઘસીને પીસી લો. આ પેસ્ટને તમારા કપાળ પર લગાવી દો. કારણ કે લીંબુની સુગંધ ઇન્દ્રિયોને શાંત કરવામાં મદદ કરે છે. માથાના દુખાવામાં લીંબુની છાલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.

કપૂર
માઈગ્રેનના દુખાવાની સારવારમાં કપૂરનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કપૂર ઠંડુ હોય છે જેના કારણે માથાના દુખાવામાં રાહત આપે છે. જ્યારે પણ તમને માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે કપૂરને પીસીને તેમાં દેશી ઘી મિક્સ કરીને કપાળ પર લગાવી દો. કપૂર અને ઘીની સુગંધ પિત્ત અને વાયુને મટાડવામાં મદદ કરે છે.

બદામ, કાળા મરી અને દૂધ
માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે તમે બદામ, કાળા મરી અને દૂધના મિશ્રણનું સેવન કરી શકો છો. જેનાથી તમને રાહત મળી શકે છે. જેમાં તમારે પલાળેલી બદામને પીસીને દૂધમાં નાંખવાની રહેશે. તેમાં તમારે ત્રણથી ચાર કાળા મરીને પીસીને નાંખવાના રહેશે. જ્યારે દૂધ ઉકળે ત્યારે તેમાં એક ચમચી ઘી અને એક ચમચી ખાંડ નાખીને ઠંડુ કરી દો. આ દૂધને પિવાથી તમારા માથાના દુખાવામાં રાહત મળશે અને તમારી આંખની રોશની પણ સુધરશે.