July 2, 2024

Vinod Chauhanણે Kejriwalને ડાયરેક્ટ મેસેજ મોકલ્યો, Delhiથી Goaમાં ફંડ ટ્રાન્સફર કર્યું; કોર્ટમાં EDનો મોટો દાવો

ED Claim in Court: દારૂ કૌભાંડ કેસમાં, વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની અદાલતે સંજ્ઞાન લીધા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટની સુનાવણી કરી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વતી વિશેષ સરકારી વકીલ ઝોહૈબ હુસૈને કેસ રજૂ કર્યો હતો. હુસૈને કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વ્યક્તિગત અને આમ આદમી પાર્ટીના વડા તરીકે બંને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલો વિજય નાયર મુખ્યમંત્રી વતી લોકો સાથે વાત કરતો હતો અને તે મુખ્યમંત્રી આવાસની નજીક એક મંત્રીને ફાળવવામાં આવેલા મકાનમાં રહેતો હતો.

વિનોદ ચૌહાણે દિલ્હીથી ગોવામાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું
EDએ જણાવ્યું કે AAP (આમ આદમી પાર્ટી)ને વ્યક્તિઓના સંગઠન તરીકે આરોપી બનાવવામાં આવ્યા છે. AAP એક રાજકીય પક્ષ છે અને તેથી કંપનીને બદલે વ્યક્તિઓના સંગઠન અથવા સંસ્થા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. EDએ કહ્યું કે વિનોદ ચૌહાણે દિલ્હીથી ગોવામાં ફંડ ટ્રાન્સફર કર્યું છે. EDએ તેના સ્ક્રીન શોટ કોર્ટ સમક્ષ મુક્યા છે. ફંડ ટ્રાન્સફર અંગે અલગ-અલગ લોકો અને હવાલા વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. આનાથી સાબિત થાય છે કે તે અનૈતિક ટ્રાંજેક્શન કરતો હતો. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી 4 જૂને થશે.

આ પણ વાંચો: પ્રચાર પૂરો કર્યા પછી PM મોદી ‘રોક મેમોરિયલ’માં ધ્યાન કરશે

વિનોદ ચૌહાણે કેજરીવાલને ડારેક્ટ મેસેજ મોકલ્યો
EDએ કોર્ટમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ આ કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર છે. આ કૌભાંડમાં પાર્ટીના અન્ય નેતાઓ અને કેટલાક લોકો પણ સામેલ છે જેઓ ગુનાની પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ હતા. આમાં ચૂંટણી પ્રચારમાં અપરાધની આવકનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે. વિજય નાયરને આબકારી વિભાગ સાથે કોઈ લેવાદેવા ન હતી, પરંતુ તેઓ કહેતા રહ્યા કે તેઓ આમ આદમી પાર્ટી માટેના ભંડોળના બદલામાં અનુકૂળ જોગવાઈઓ મેળવી શકે છે. ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને વિનોદ ચૌહાણ તરફથી ડાયરેક્ટ મેસેજ મળ્યા હતા, જે હવાલા ઓપરેટરો સાથે જોડાયેલા ગુનાઓની કાર્યવાહીનું સંચાલન કરતા હતા. EDના વકીલે કહ્યું કે, ચૌહાણની પોસ્ટિંગમાં વાકેજરીવાલ સામેલ છે. હું સંમત છું કે આને દારૂના ધંધા સાથે કોઈ લેવાદેવા નથી પણ તે તેના અને ચૌહાણ વચ્ચેના સંબંધને દર્શાવે છે.

આ પણ વાંચો: દિલ્હી કોર્ટે AAP નેતા આતિશીને સમન્સ પાઠવ્યું, 29 જૂને હાજર થવા જણાવ્યું

નોંધનીય છે કે, કોર્ટે કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટ પર વિચારણા કરવા માટે 28 મેની તારીખ નક્કી કરી હતી. જે બાદ આજે આ કેસની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે. કોર્ટે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવાની પરવાનગી આપી છે. તેમણે તેમને 2 જૂને આત્મસમર્પણ કરીને પાછા જેલમાં જવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન, તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ પણ કરી હતી. તેણે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેને આંચકો આપ્યો હતો અને તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલો દિલ્હીના દારૂ કૌભાંડ સાથે જોડાયેલો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી, EDએ 22 ઓગસ્ટ 2022ના રોજ કથિત ભ્રષ્ટાચાર અંગે 17 ઓગસ્ટ 2022ના રોજ નોંધાયેલી CBI FIRને ધ્યાનમાં લઈને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.