October 9, 2024

8 દિવસ પહેલા ચેતવણી… ભારત છોડવાની સલાહ, સિદ્ધુ મુસેવાલાના મોત પર મોટો ખુલાસો

Mumbai: સલમાન ખાનના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસની 18મી સિઝન શરૂ થઈ ગઈ છે. આ શોના પહેલા જ એપિસોડમાં સ્પર્ધકો એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મૃત્યુ અંગે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને દર્શકો ચોંકી ગયા હતા. બગ્ગાએ દાવો કર્યો છે કે સિદ્ધુ મુસેવાલા મૃત્યુના 8 દિવસ પહેલા જ એક જ્યોતિષીએ તેમને જીવલેણ હુમલાની ચેતવણી આપી હતી અને તેમને દેશ છોડવાની સલાહ પણ આપી હતી. પરંતુ તે દેશ છોડી શકે તે પહેલા તેની હત્યા કરવામાં આવી હતી.

બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગા બિગ બોસ 18માં સ્પર્ધક તરીકે જોડાયા છે. તેજિન્દર સિંહે કહ્યું કે, પહેલા તેઓ જ્યોતિષમાં માનતા ન હતા. પરંતુ સિદ્ધુ મુસેવાલા મૃત્યુ પછી તે જ્યોતિષશાસ્ત્ર પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે કારણ કે આ અકસ્માતના થોડા દિવસો પછી, તેના મિત્ર રુદ્ર (જ્યોતિષી) એ તેને કહ્યું કે તેણે ગાયકને તેના મૃત્યુ પહેલા ચેતવણી આપી હતી કે તેના પર હુમલો થઈ શકે છે. તેથી તેમના માટે ભારત છોડવું સારું રહેશે. આ ચેતવણીના બરાબર 8 દિવસ પછી તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જ્યોતિષમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

મૃત્યુના 8 દિવસ પહેલા ચેતવણી મળી હતી
તેજિન્દર સિંહ બગ્ગાએ પોતાના દાવામાં વધુમાં કહ્યું કે જ્યારે તે 19 મે 2022ના રોજ પોતાના મિત્ર રુદ્ર (જે વ્યવસાયે જ્યોતિષ છે) સાથે બીજેપીની દિલ્હી ઓફિસમાં બેઠો હતો ત્યારે તેણે તેના મિત્રના મોબાઈલમાં સિદ્ધુ મૂસેવાલ સાથેનો ફોટો જોયો હતો. જ્યારે તેણે રુદ્રને પૂછ્યું કે તે મૂસેવાલા સાથે શું કરી રહ્યો છે? પછી તેણે તેમને આખી વાર્તા સંભળાવી અને કહ્યું કે મૂસેવાલા 8મી કે 9મી જુલાઈ સુધીમાં દેશ છોડીને જવાના હતા પરંતુ આગાહીના માત્ર 8 દિવસ બાદ જ તેમની હત્યાના સમાચાર આવ્યા.

આ પણ વાંચો: RBIનો મોટો નિર્ણય, સતત દસમી વખત 6.5 ટકા રેપોરેટ યથાવત

સિદ્ધુ મૂસેવાલાનું નિધન
પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનું 29 મે 2022 ના રોજ અવસાન થયું. તે પોતાની થાર કારમાં જઈ રહ્યો હતો, ત્યારે અચાનક બે કારોએ તેની કાર રોકી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.જેમાં ગાયકનું મોત થયું. આ ઘટનાની જવાબદારી બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રારે લીધી હતી.