September 20, 2024

હત્યારા સંજયે કેમ મહિલા ડોક્ટરને મારી? કોલકાતા કેસમાં થયો મસમોટો ખુલાસો

Kolkata: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સેમિનાર હોલમાં જતાં જ તેણે પીડિતા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પીડિતા ગાઢ નિંદ્રામાં હતી. પીડિતાએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન તેને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે બળાત્કાર દરમિયાન તેણે પીડિતાની હત્યા કરી કારણ કે તેણે બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોરથી દબાવ્યું હતું ગળું
સંજય રોયે તેનું ગળું દબાવી દીધું અને તે મરી ન ગઈ ત્યાં સુધી તેને પકડી રાખી. સંજય રોય એક સારો બોક્સિંગ ખેલાડી હતા. તેથી પીડિતા પોતાને તેના હાથમાંથી બચાવી શકી ન હતી. સંજય રોયે આ વાતનો ખુલાસો કર્યો હતો.

10 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી
મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી કોલકાતા પોલીસે 10 ઓગસ્ટે રોયની ધરપકડ કરી હતી. ડોક્ટરના મૃતદેહ પાસે સીસીટીવી ફૂટેજ અને બ્લૂટૂથ ડિવાઈસ મળ્યા બાદ રોયની ધરપકડ કરવામાં આવી હતી. કથિત રીતે તે કોલેજના સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો જ્યાં સવારે લગભગ 4 વાગ્યે લાશ મળી આવી હતી. રોય (33) 2019 થી કોલકાતા પોલીસમાં નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: રસ્તાઓ પર 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ… નબન્ના વિરોધ કૂચ પહેલા કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

સંજય એક પ્રશિક્ષિત બોક્સર, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો કેળવ્યો હતો. જેના પછી તેને કોલકાતા પોલીસ કલ્યાણ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પોલીસ ચોકીમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો.

કોલકાતા હાઈકોર્ટે 13 ઓગસ્ટે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપી હતી અને બીજા દિવસે કેન્દ્રીય એજન્સીએ કોલકાતા પોલીસ પાસેથી તપાસ સંભાળી લીધી હતી.